માડીના ગરબા
. .માડીના ગરબા
તાઃ૪/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના નવ દીવસે,ગરબે ઘુમતા માતા રાજી થાય
આશીર્વાદની કેડી પકડતા,મળેલજીવન ધન્ય થઈ જાય
. ………………..નવરાત્રીના નવ દીવસે.
ગરબે ઘુમી તાલી દેતા,માડી તારા પ્રેમની વર્ષા થાય
પગલે પગલુ સાચવી ભરતા,કૃપાએ પાવાગઢ ચઢાય
કાળકામાની એક દ્રષ્ટિએ,પ્રદીપનુ જીવન ઉજ્વળથાય
મળી જતા પ્રેમ માતાજીનો,અમારૂ જીવન પાવન થાય
. …………………. નવરાત્રીના નવ દીવસે.
અંબામાતાને ગરબે ઘુમતા,જયઅંબે જયઅંબે સંભળાય
માતાની અસીમ કૃપાએ,માતાના દર્શન પણ થઈ જાય
મેલડી માતાની એક મહેરે,જીવને પાવનરાહ મળી જાય
બહુચરામાની એકદ્રષ્ટિએ,ઉજ્વળ સંતાનપ્રેમ મળીજાય
. …………………..નવરાત્રીના નવ દીવસે.
**********************************************
. .આવતીકાલથી હિન્દુ ધર્મમાં નવરાત્રીનો પ્રારંભ થાય છે.માતાજીની અસીમ કૃપા
શ્રધ્ધાથી જ મળે છે.સાચી શ્રધ્ધા રાખી નવરાત્રીમાં માતાજીની પુંજા કરવાથી માતાની
અસીમ કૃપા મળે છે અને મળેલ જન્મ સાર્થક કરે છે.સૌ વાંચકોને શુભ નવરાત્રી.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને પરિવારના જય જલારામ.