માનવીમન
. માનવીમન
તાઃ૨/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની શીતળ દ્રષ્ટિએ,માનવ જીવન મહેંકી જાય
પ્રેમની સાચી કેડી મળતા,જીવનમાં શાંન્તિ વરસી જાય
. …………………પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
અદભુત લીલા અવિનાશીની,જ્યાં સાચીભક્તિ પ્રેમે થાય
કળીયુગના બંધનો છુટતા,જીવને અનંતશાંન્તિ મળીજાય
પાવનકર્મની કેડી મળતાંજ,આધીવ્યાધી પણ ભાગી જાય
અનંતપ્રેમ શ્રીજલાસાંઇનો મળતા,આમાનવમન મલકાય
. ………………….પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
સિધ્ધીના સોપાન ખુલતા જીવનમાં,સફળતા મળતી જાય
મહેનત સાચી રાહે કરતા જીવનમાં,ના તકલીફને મેળવાય
કરેલ કર્મ એ ઉજ્વળતાના વાદળ,અંતે પ્રેમ વરસાવી જાય
માનવમનની મહેંક પ્રસરતા,મળતા જીવોનેય આનંદ થાય
. ……………………પરમાત્માની શીતળ દ્રષ્ટિએ.
===================================