October 15th 2013

મંગલ દીન

.                         .મંગલ દીન

તાઃ૧૫/૧૦/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતા જીવને અવનીએ,એજ તેનો મંગલદીન કહેવાય
પરમાત્માની એજ અપાર કૃપા,જીવને માનવદેહ મળી જાય
.                     ………………….. દેહ મળતા જીવને અવનીએ.
સંસ્કાર સાચવી જીવન જીવતા,ના કળીયુગી ચોઘડીયા જોવાય
આંગળી ચીંધતા ચીંધારાઓને પણ,ના આફત કદીય છોડી જાય
જીવનીશ્રધ્ધાએકૃપા પરમાત્માની,જીવનમાંસરળતા મળી જાય
મોહમાયાને ત્યાગીદેતાં,દરેક દીન જીવનમાંમંગલદીનથઈજાય
.                    …………………….દેહ મળતા જીવને અવનીએ.
ઉજ્વલતાની સાચીકેડી મળે,જ્યાં વડીલના આશીર્વાદ મેળવાય
ડગલેપગલે સફળતા પામવા,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
નિર્મળતાનોસંગ રાખવા જીવનમાં,અભિમાનને દુર રાખતા જાવ
આવી આંગણે પ્રભુ કૃપા રહેતા,અંતે જીવ મુક્તિ માર્ગે ચાલી જાય
.                     …………………..દેહ મળતા જીવને અવનીએ.

=====================================