October 21st 2013

મનની માગણી

.                     .મનની માગણી                   

તાઃ૨૧/૧૦/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર આવેલા જીવને,સુખદુઃખ જીવનમાં સંધાય
મનની માગણી પ્રભુને ધરતાં,જીવનેકૃપા મળતી જાય
.               ………………….અવનીપર આવેલા જીવને.
અપારલીલા કુદરતની જગે,ના માનવમનને સમજાય
પ્રભુભક્તિનો માર્ગ પકડતા,જીવને સરળતા મળી જાય
માનવતાની મહેંક પ્રસરતા જ,સૌનો સાથ  મળતો જાય
અજબલીલા અવિનાશીનીજગે,સાચી પ્રેરણાઆપીજાય
.             …………………..  અવનીપર આવેલા જીવને.
મોહમાયા કળીયુગમાંવળગે,નિર્મળ જીવનમાં અડી જાય
સાચી રાહ મળતા જીવને,આધી વ્યાધીઓથી બચી જાય
એકજકેડી મળે જીવને,જ્યાં જલાસાંઇની પ્રેમે ભક્તિ થાય
દેહ છુટતાઅવનીથી જીવને,મુક્તિમાર્ગની કેડીમળી જાય .
.              …………………….અવનીપર આવેલા જીવને.

+++++++++++++++++++++++++++++++++++