મનની માગણી
. .મનની માગણી
તાઃ૨૧/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર આવેલા જીવને,સુખદુઃખ જીવનમાં સંધાય
મનની માગણી પ્રભુને ધરતાં,જીવનેકૃપા મળતી જાય
. ………………….અવનીપર આવેલા જીવને.
અપારલીલા કુદરતની જગે,ના માનવમનને સમજાય
પ્રભુભક્તિનો માર્ગ પકડતા,જીવને સરળતા મળી જાય
માનવતાની મહેંક પ્રસરતા જ,સૌનો સાથ મળતો જાય
અજબલીલા અવિનાશીનીજગે,સાચી પ્રેરણાઆપીજાય
. ………………….. અવનીપર આવેલા જીવને.
મોહમાયા કળીયુગમાંવળગે,નિર્મળ જીવનમાં અડી જાય
સાચી રાહ મળતા જીવને,આધી વ્યાધીઓથી બચી જાય
એકજકેડી મળે જીવને,જ્યાં જલાસાંઇની પ્રેમે ભક્તિ થાય
દેહ છુટતાઅવનીથી જીવને,મુક્તિમાર્ગની કેડીમળી જાય .
. …………………….અવનીપર આવેલા જીવને.
+++++++++++++++++++++++++++++++++++