October 1st 2013

સાંકળની સમજ

.                 .સાંકળની સમજ

 તાઃ૧/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરનુ આગમન જીવનું,કર્મનું બંધન એ કહેવાય
જીવનો સંબંધ જીવથી રહે,એને લોહીનો સંબંધ સમજાય
.                ………………….અવનીપરનુ આગમન જીવનું.
કરેલ સત્કર્મ જીવનમાં,એ જીવને સદમાર્ગે જ દોરી જાય
આવી અવનીપર એસમજતા,પાવનકર્મ જીવનમાં થાય
મળે માર્ગ ભક્તિનો સાચો,જે થકી કૃપા જલાસાંઇની થાય
ભક્તિની સાંકળ છે નિરાળી,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
.                …………………. અવનીપરનુ આગમન જીવનું.
અનીતિનો માર્ગ પકડતા દેહ,લોખંડની સાંકળથી જકડાય
પડેમાર લાકડીનોદેહને,જે થકી આખુ જીવન વેડફાઇ જાય
સાંકળની સમજ પડે જો જીવને,તો ભક્તિનીએ પકડી જાય
કળીયુગની સાંકળમાં ફસાતાં,જન્મમૃત્યુથી એ બંધાઇ જાય
.                 …………………..અવનીપરનુ આગમન જીવનું.

++++++++++++++++++++++++++++++++++++++