અભિમાન
. .અભિમાન
તાઃ૩/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિમાનની કેડી જીવને મળતા,દેહ અહીં તહીં ભટકી જાય
ઉજ્વળતાની રાહ છુટતાજ માનવી,નિરાશા મેળવતો જાય
. …………………અભિમાનની કેડી જીવને મળતા.
સાચી રાહ મળે છે જીવને,જ્યાં માનવતા પકડીને જીવાય
સરળતાની સાચીકેડીને લેતાં,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનુ આગમન એજ,જીવનાકર્મના બંધન કહેવાય
અભિમાનને મુકી માળીયે જીવતાં,સાથ સૌનોય મળી જાય
. ………………….અભિમાનની કેડી જીવને મળતા.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં મળેલ સંસ્કારનેજ સચવાય
આશિર્વાદની વર્ષા વરસતા,માનવ જન્મ સફળ થઈ જાય
સત્કર્મની કેડીને પકડીને ચાલતા,કર્મનાબંધન છુટતા જાય
અંતઆવતા દેહનો અવનીથી,અંતે પરમાત્માની કૃપાથાય
. ………………….અભિમાનની કેડી જીવને મળતા.
+++++++++++++++++++++++++++++++++++