September 17th 2018

તાલીઓના તાલે

.           .તાલીઓના તાલે   

તાઃ૧૭/૯/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માતાજીનો પ્રેમ મળે ભક્તોને,જ્યાં તાલીઓના તાલે ગરબા ઘુમાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા માતાને,જીવપર પવિત્રપ્રેમની વર્ષા થાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
પવિત્રધર્મનો સમય પારખી ભક્તો પધાર્યા,સંગે દાંડીયારાસ રમી જાય
આજે અનેક સ્વરૂપે પધારે માતાજી,જ્યાં પાવનરાહેજ ગરબા ગવાય
તાલી સંગે ગરબે ધુમતા નર ને નારી,મળેલ જીવન પાવન કરી જાય
નવરાત્રીની પવિત્રરાત્રીએ ધર્મ સમજતા,પવિત્રપ્રેમપણ મળતોથઈ જાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
માડી તારા ચારણને વંદન કરતા ભક્તો,નિર્મળભાવે ગરબે ઘુમી જાય
તાલીઓના સંગે શ્રધ્ધાએ દાંડીયા રમતા,માડીની કૃપાનો અનુભવ થાય
પ્રેમથી માડી કૃપા કરજો ભક્તો પર,જીવને મળેલદેહ પાવન થઈ જાય
અનંતકૃપાળુછે માતા અવનીપર,જે અનેકદેહ લઈ ધરતી પવિત્ર કરીજાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
============================================================

	
September 12th 2018

ગરબે ઘુમજો

.             .ગરબે ઘુમજો 

તાઃ૧૨/૯/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિભાવનાએ ગરબે ઘુમજો,નવરાત્રીમાં માતાનો અનંતપ્રેમ મળી જાય
તાલીઓના તાલ સંગે ગરબા ગાતા,શ્રધ્ધાભાવથી નિર્મળભક્તિ થઈ થાય
.......અનંત શક્તિશાળી પવિત્ર માતાજી,ભક્તિપ્રેમી પર પરમકૃપા કરી જાય.
નવરાત્રીના પવિત્ર દીવસોમાં,નિર્મળ ભક્તિ લઈને માતાને રાજી કરી જાય
ગરબા સંગે રાસરમતા ભક્તજનો,અંતરથી માતાજીને વંદન પણ કરી જાય
પવિત્ર તહેવાર એ પરમાત્માની છે કૃપા,જે હિંદુધર્મને પણ પાવન કરી જાય
નાચજો ભક્તજનો શ્રધ્ધા ભાવનાથી આજે,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય
.......અનંત શક્તિશાળી પવિત્ર માતાજી,ભક્તિપ્રેમી પર પરમકૃપા કરી જાય.
નવરાત્રીની નવદીવસની પવિત્રરાહ જોઇ,માતાજી ભક્તોપર પ્રેમ આપી જાય
વ્હેલા પધારજો માતાજી આંગણેઅમારે,નિર્મળજીવનમાં પવિત્રરાહ મળી જાય
સુખશાંંતિના વાદળ વરસતા માતાની કૃપાએ,જે મળેલ માનવદેહને પ્રેરી જાય
પ્રેમથી ગરબે ઘુમજો ભક્તજનો,જે હ્યુસ્ટનમાં હિંદુધર્મની પવિત્રરાહ દઈ જાય
......અનંત શક્તિશાળી પવિત્ર માતાજી,ભક્તિપ્રેમી પર પરમકૃપા કરી જાય.
=========================================================

September 10th 2018

ભોલેનાથ ભજો

Image result for ભોલેનાથ ભજો
.            .ભોલેનાથ ભજો    

તાઃ૧૦/૯/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમથી ભક્તિ કરતા,જીવને મળેલ દેહપર પરમકૃપા થઈ જાય
શ્રધ્ધા ભાવનાની પવિત્રરાહે,દેહ મોહમાયાના બંધનથી દુર રહી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય. 
પવિત્રદેહ લઈ અવનીપર આવ્યા,સંગે પવિત્ર ગંગાને વહેવડાવી જાય
પુંજનઅર્ચન શ્રધ્ધા સંગે કરતા,મળેલ દેહને જીવનમાં સુખ મળી જાય
પાર્વતીજીના પતિ થયા અવનીપર,સંગે ગજાનંદ ગણેશના પિતા થાય
અદભુત પવિત્ર શક્તિ લઈને જગતપર,જીવોને પાવનરાહ આપી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય. 
કુદરતનીકેડી એ અદભુતકૃપા પ્રભુની,જે અવનીપર અનેક દેહથી દેખાય
નિર્મળભાવનાને સંગે રાખી ભક્તિ કરતા,તમારા ઘરને પવિત્ર કરી જાય
શાંંન્તિનો સંગાથ મળે દેહને જીવનમાં,પાવન કર્મની પ્રેરણા આપી જાય
મુક્તિમાર્ગની આંગળી ચીધે જીવને,મળેલદેહને અંતે પાવનકૃપામળી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય.
======================================================
September 1st 2018

ભજનપ્રેમ

.             .ભજનપ્રેમ    

તાઃ૧/૯/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રેમથી ભોલેનાથનુ ભજન કરતા,શંકર ભગવાનની પરમકૃપા થઈ જાય
પાવનરાહે જીવન જીવતા જીવપર,માતા પાર્વતીનો પ્રેમપણ મળી જાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
શ્રધ્ધાભાવનાએ ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાનો અનુભવ થઈ જાય
ભક્તિમાર્ગને પકડી ચાલતા જીવને,અવનીપર ભજનપ્રેમનો સંગ મેળવાય
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,જે ગણેશજીને અજબશક્તિ આપીજાય
રિધ્ધી સિધ્ધીના એ પ્રણેતા જગતમાં,જે જીવોના ભાગ્યવિધાતાય કહેવાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
કર્તાહર્તા જગતના ભારતમાં,માગંગા,જમના,સરસ્વતી,યમુના વહાવી જાય
મુક્તિમાર્ગ મળે જીવને અર્ચના કરવાથી,જેદેહને સદમાર્ગ પણ આપી જાય
સરળતાનો સહવાસ મળતા સંસારમાં,પિતામાતાપુત્રપુત્રીનો પ્રેમ મળી જાય
મળેલદેહથી શ્રધ્ધાપ્રેમે ભજન કરતા,મળેલકૃપા ધરને પણ પાવન કરી જાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
===========================================================
August 12th 2018

શ્રાવણ માસ

…..Image result for શ્રાવણ માસ…..

.                         .શ્રાવણ માસ

તાઃ૧૨/૮/૨૦૧૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રાવણ માસ એ પવિત્ર મહીનો,માનવજીવનને એ સ્પર્શી જાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ માર્ગે ચાલતા,મળેલદેહનુ જીવન પાવનથાય
.....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય.
નિર્મળ ભાવથી પુંજન કરતા,શ્રાવણ માસે પાવન ઘર થઈ જાય
ના અપેક્ષાના વાદળ સ્પર્શે,કે ના કોઇ મોહમાયાય સ્પર્શી જાય
પવિત્રમાસની અજબ શક્તિ છે અવનીપર,પ્રભુકૃપાએજ મેળવાય
વંદન કરી શ્રધ્ધાએ પગે લાગતા,મળેલ દેહની જ્યોત પ્રગટી જાય
.....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય.
માનવદેહની એ પવિત્રકેડી,જે શ્રધ્ધાએ પુંજન અર્ચના કરાવી જાય
જીવને મળેલદેહ અવનીપર,કરેલકર્મના સંબંધ અનુભવ આપી જાય
પ્રેમ ભાવનાએ કરેલ ભક્તિ,મળેલદેહને નિર્મળ જીવનથી પ્રેરી જાય
સુખશાંન્તિનો સંગ મળે,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષાજ થઈ જાય
.....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય.
==========================================================

 

May 21st 2018

આવતી આફત

.         .આવતી આફત 

તાઃ૨૧/૫/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળતી માયા કાયાને કળીયુગમાં,અનેક આફતો આપી જાય
કળીયુગની આ કાતર એવી,જીવનમાં સુખશાંંતિ કાપી જાય
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
મળેલ દેહને સંબંધ છે કર્મનો,જે અનેક રૂપે દેહ આપી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જીવનમાં કર્મની કેડીએ ચલાય
સત્કર્મ એ સંસ્કાર સાચવે,જે જીવને પવિત્રરાહથી સમજાઇ જાય
પાવનકર્મની રાહ ચીંધે પરમાત્મા,જે મળેલ માનવદેહને સમજાય 
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
નિર્મળભાવથી પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં સત્કર્મ થતા જાય
મોહમાયાને દુર રાખવા જીવનમાં,મળેલદેહને ભક્તિએ સચવાય
આ મારૂ આ તારૂને નાસ્પર્શ કરતા,જીવનમાં શાંંતિ મેળવાય
ભક્તિ માર્ગની પાવન રાહ મળે,જ્યાં સુર્યદેવની પાવનકૃપા થાય
......એ લીલા કળીયુગમાં કુદરતની,પાવનભક્તિએ દેહને બચાવી જાય.
====================================================
May 11th 2018

પ્રેમાળ પ્રીત

.           .પ્રેમાળ પ્રીત   

તાઃ૧૧/૫/૨૦૧૮             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ પરમાત્માની પાવનરાહે જીવતા,માનવતા મળી જાય
અજબશક્તિશાળી પ્રભુની કૃપાએ,મળેલ જીવન પાવનરાહે જાય 
.......એજ અજબકૃપાળુ દેવ છે,જેમના દર્શન અબજોવર્ષોથી પ્રત્યક્ષ થાય.
જીવને મળેલ દેહ અવની પર,અનેક દેહે જીવને સ્પર્શ કરી જાય
માનવદેહ એ કૃપા સુર્યદેવની,જે જગતપર મળેલ દેહને દોરી જાય
આંગળી ચીંધેલ પવિત્રરાહે જીવતા,અનેકની પ્રેમાળપ્રીત મળી જાય
પાવનપ્રેમની મહેંક પ્રસરતા જીવને,ન અનેકદેહનો સંબંધઅડી જાય
.......એજ અજબકૃપાળુ દેવ છે,જેમના દર્શન અબજોવર્ષોથી પ્રત્યક્ષ થાય.
અવનીપરનુ આગમન મળે અનેક સંબંધે,જે દેહ મળતાજ સમજાય
કુદરત એ પવિત્રરાહની કેડી ચીંધે,જે અનેક પવિત્રદેવોથી મેળવાય
શ્રધ્ધા સંગે ભક્તિ કરતા જીવનમાં,પાવનરાહની આંગળી ચીંધીજાય
મળેલ પાવનકેડીએ જીવતા કૃપા મળે,જે જન્મમરણથી છોડી જાય
.......એજ અજબકૃપાળુ દેવ છે,જેમના દર્શન અબજોવર્ષોથી પ્રત્યક્ષ થાય.
=========================================================
April 30th 2018

શક્તિનો સંગાથ

Related image
.          .શક્તિનો  સંગાથ  

તાઃ૩૦/૪/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમ શક્તિશાળી છે શ્રી ભોલેનાથ,એજ માતા પાર્વતીના ભરથાર
ભારત એ પવિત્ર ભુમી જગતપર,જ્યાં શંકર ભગવાનથી ઓળખાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.
અજબ શક્તિશાળી દેહ અવનીએ,જે પવિત્રગંગાને વહેવડાવી જાય
પવિત્ર પત્નીનોપ્રેમ અનેરો જીવનમાં,જગતપર પવિત્રરાહ આપીજાય
પરમશક્તિનો સંગાથ લઈને દેહ લીધો,ને હિમાલયપર વાસ કરીજાય
પાવનરાહની જ્યોત પ્રગટતા જીવનમાં,પરમાત્માથી એજ ઓળખાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.
નિર્મળજીવનની રાહ મળે શ્રધ્ધાએ,જ્યાં સાચી શ્રધ્ધાએ ભક્તિ થાય
સોમવારની સવારને પવિત્ર પારખી,શીવલીંગ પર દુધ અર્ચના થાય
માતાનો નિર્મળપ્રેમ જીવનમાં,જે પુત્ર ગણપતી અને કાર્તીક કહેવાય
અનેક જીવોને પાવનરાહ મળી જાય,જ્યાં શ્રધ્ધાએ પુંજાઅર્ચના કરાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.

===========================================================

	
April 24th 2018

શ્રધ્ધાદીપ

.             .શ્રધ્ધાદીપ

તાઃ૨૪/૪/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,ત્યાં અનંત સ્નેહની વર્ષા થાય
પાવનરાહની કેડી પકડતા શ્રધ્ધા થતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
અજબ શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને કર્મથી અડી જાય
કરેલ કર્મ એજ જીવની જ્યોત છે અવનીપર,વાણીવર્તનથી સમજાય
સમયને ના પકડે કોઇ જીવ,દેહ મળતા બાળપણ જુવાની મેળવાય
એ અદભુતલીલા પરમાત્માની,એજ અવનીપર આવનજાવને સમજાય
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,અબજો વર્ષોથી સવારસાંજ દઈજાય
અનેક દેહનો સંબંધ છે જીવને,જે કરેલ કર્મનાસંબંધથી દેહ મેળવાય
મળેલ માનવદેહ એ કૃપા જીવપર,જે શ્રધ્ધાએ ભક્તિમાર્ગ આપીજાય
ના માગણી મોહનો સ્પર્શ થાય જીવને,જે જન્મમરણથી દુર લઈજાય 
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
=======================================================
April 19th 2018

નિર્મળ શ્રધ્ધા

.           .નિર્મળ શ્રધ્ધા
તાઃ૧૯/૪/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને,અવનીપર અનેક બંધન સ્પર્શી જાય
કુદરતની આજ છે અજબલીલા,જે નિર્મળ શ્રધ્ધાએજ સમજાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
કર્મના સંબંધ એ જીવને મળેલ દેહના,જન્મ મરણથીજ દેખાય
માનવદેહ એ પરમાત્માનીજ કૃપા,જે કરેલ કર્મથી સ્પર્શી જાય
પવિત્રરાહે ભક્તિ કરતાજ જીવનમાં,સત્માર્ગનો રાહ મળી જાય
જીવને મળેલ આગમન વિદાયથી,જગતમાં ના કોઇથી છટકાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
પરમકૃપા છે સુર્યનારાયણદેવ જગતમાં,પ્રત્યક્ષ દર્શન આપી જાય
સવાર સાંજનો સંબંધ મળે અવની પર,જે ઉદય અસ્તથી દેખાય
પવિત્ર આંગણુ ઘરનું થાય,જ્યાં સવારમાં સુર્યદેવને અર્ચના થાય
પાવન રાહ મળે જીવને અવનીએ,જ્યાં નિર્મળ ભાવનાએ પુંજાય
.....પવિત્રરાહ મળે અવનીએ,જ્યાં શ્રધ્ધાએ સુર્યદેવનુ પુંજન થાય.
====================================================
« Previous PageNext Page »