April 30th 2018
. .શક્તિનો સંગાથ
તાઃ૩૦/૪/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ શક્તિશાળી છે શ્રી ભોલેનાથ,એજ માતા પાર્વતીના ભરથાર
ભારત એ પવિત્ર ભુમી જગતપર,જ્યાં શંકર ભગવાનથી ઓળખાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.
અજબ શક્તિશાળી દેહ અવનીએ,જે પવિત્રગંગાને વહેવડાવી જાય
પવિત્ર પત્નીનોપ્રેમ અનેરો જીવનમાં,જગતપર પવિત્રરાહ આપીજાય
પરમશક્તિનો સંગાથ લઈને દેહ લીધો,ને હિમાલયપર વાસ કરીજાય
પાવનરાહની જ્યોત પ્રગટતા જીવનમાં,પરમાત્માથી એજ ઓળખાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.
નિર્મળજીવનની રાહ મળે શ્રધ્ધાએ,જ્યાં સાચી શ્રધ્ધાએ ભક્તિ થાય
સોમવારની સવારને પવિત્ર પારખી,શીવલીંગ પર દુધ અર્ચના થાય
માતાનો નિર્મળપ્રેમ જીવનમાં,જે પુત્ર ગણપતી અને કાર્તીક કહેવાય
અનેક જીવોને પાવનરાહ મળી જાય,જ્યાં શ્રધ્ધાએ પુંજાઅર્ચના કરાય
.......સોમવારના પવિત્ર દીવસે હિંદુ ધર્મમાં,બમબમ ભોલેનાથ પણ કહેવાય.
===========================================================
No comments yet.