April 24th 2018

શ્રધ્ધાદીપ

.             .શ્રધ્ધાદીપ

તાઃ૨૪/૪/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,ત્યાં અનંત સ્નેહની વર્ષા થાય
પાવનરાહની કેડી પકડતા શ્રધ્ધા થતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
અજબ શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને કર્મથી અડી જાય
કરેલ કર્મ એજ જીવની જ્યોત છે અવનીપર,વાણીવર્તનથી સમજાય
સમયને ના પકડે કોઇ જીવ,દેહ મળતા બાળપણ જુવાની મેળવાય
એ અદભુતલીલા પરમાત્માની,એજ અવનીપર આવનજાવને સમજાય
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,અબજો વર્ષોથી સવારસાંજ દઈજાય
અનેક દેહનો સંબંધ છે જીવને,જે કરેલ કર્મનાસંબંધથી દેહ મેળવાય
મળેલ માનવદેહ એ કૃપા જીવપર,જે શ્રધ્ધાએ ભક્તિમાર્ગ આપીજાય
ના માગણી મોહનો સ્પર્શ થાય જીવને,જે જન્મમરણથી દુર લઈજાય 
.......એજ મળેલ દેહને પાવન કરે,જે મુક્તિમાર્ગની રાહ આપી જાય.
=======================================================