September 2nd 2013

પવિત્ર શ્રાવણ

OM

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                         . પવિત્ર શ્રાવણ

તાઃ૨/૯/૨૦૧૩      સોમવાર           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર શ્રાવણ માસનો આજે, હિન્દુધર્મમાં છેલ્લો છે સોમવાર
પ્રેમથી સાચી ભક્તિ કરતા, જીવ પર ભોલેનાથની કૃપા થાય
.                             ………………….પવિત્ર શ્રાવણ માસનો આજે.
દુધ અર્ચના પ્રેમે કરતાં,નાગદેવતાની અસીમકૃપા થઇ જાય
ૐ નમઃ શિવાયના સતત સ્મરણથી,આ જીવન નિર્મળ થાય
માતા પાર્વતીની કૃપા મળતા,જીવને માનો  પ્રેમ મળી જાય
ગજાનંદની એકજ દ્રષ્ટિ પડતા,જીવ જન્મમરણથી છુટી જાય
.                          ……………………પવિત્ર શ્રાવણ માસનો આજે.
ધુપદીપને ભક્તિ પ્રેમથી કરતા,આ ઘરને પાવન કરી જાય
શિવજી જગતમાં ભોળા દેવ છે,સાચી ભક્તિએજ રાજી થાય
માયા મોહના બંધન તુટતાજ,જીવને મુક્તિ માર્ગ મળી જાય
પરમાત્માનો પ્રેમમળતા જીવના,અવનીનાબંધન છુટીજાય
.                        ……………………..પવિત્ર શ્રાવણ માસનો આજે.

+++++++++++++++++++++++++++++++++++

September 1st 2013

શનિદેવની કૃપા

.                 .  શનિદેવની કૃપા

તાઃ૧/૯/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યપુત્રની સાચી ભક્તિએ,આવતી વ્યાધીઓ ભાગી જાય
શનિદેવની એક જ દ્રષ્ટિએ,જીવની માનવતા મહેંકી  જાય
.                       ………………….સુર્યપુત્રની સાચી ભક્તિએ.
પ્રેમની પાવન કેડી મળતાજ,માનવ જીવન પાવન થાય
સરળતાનો સહવાસ મેળવતા,શનિદેવની કૃપા થઈ જાય
ભક્તિપ્રેમની જ્યોત પ્રગટતા,સાચીભક્તિ જીવેમળી જાય
મનથી કરેલ ભક્તિ શનિદેવની,આધી વ્યાધી આંબી જાય
.                     ……………………સુર્યપુત્રની સાચી ભક્તિએ.
શીતલ જીવનમાં કૃપા મેળવતા,ઉજ્વળ જીવન થઈ જાય
કળીયુગની ના કોઇ અસર મળે,કે ના કોઇ વ્યાધી મેળવાય
શનિદેવની અસીમકૃપાએ,પ્રદીપનો જન્મસફળ થઈ જાય
લાગણી મોહની કાતર છુટતા,જીવને સાચી રાહ મળી જાય
.                    …………………….સુર્યપુત્રની સાચી ભક્તિએ.

=====================================

 

August 31st 2013

શ્રી શનિદેવ

.                           શ્રી શનિદેવ

 તાઃ૩૧//૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શનિદેવની સાચી ભક્તિએ,જીવપર અસીમકૃપા થઇ જાય
માગણીની ના અપેક્ષા રહેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                         …………………શનિદેવની સાચી ભક્તિએ.
અણધારી આફતને આંબીને,કળીયુગમાં જીવને બચાવી જાય
શાંન્તિનો સહવાસ જીવને દઈને,પાવનકર્મ પણ કરાવી જાય
આવી દ્વારે ઉભા રહેતા પ્રેમથી,ભુતપલીતને એ ભગાડી  જાય
નિર્મળ જીવનની સાંકલ મળતા,જીવનો જન્મસફળ થઈજાય
.                        ………………….શનિદેવની સાચી ભક્તિએ.
સુર્યનારાયણની સાચી અર્ચના,પુત્ર શનીદેવથી મળી જાય
ૐ શં શનેશ્ચરાય નમઃ થી,જીવથી અસીમ કૃપાય મેળવાય
મનને શાંન્તિ મળે ભક્તિથી,જીવનમાં ના વ્યાધી અથડાય
સુખશાંન્તિના વાદળ વરસતા,પ્રદીપનુ જીવન પાવનથાય
.                          …………………શનિદેવની સાચી ભક્તિએ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

August 30th 2013

કરુણાસાગર

.                   .કરુણાસાગર

તાઃ૩૦/૮/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની માયાને છોડતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન મળે કૃપાએ,જ્યાં કરુણા પ્રભુની થઈ થાય
.                ……………………કળીયુગની માયાને છોડતા.
અવનીપરના આગમને જીવને,દેહથી કેડી સમજાઇ જાય
મળેલ દેહની માયાને છોડતા,જલાસાંઇનીકૃપા થઈ જાય
પરમાત્મા તો કરુણાનો સાગર છે,જે લાયકાતે મળી જાય
મનથી કરેલ ભક્તિ સાચી,જીવનની રાહ સરળ થઈ જાય
.                 …………………..કળીયુગની માયાને છોડતા.
કળીયુગના બંધન તોછે આકરા,ના જીવથી કદીય છટકાય
સરળતાનોસંગ મળેજીવને,જ્યાં કરુણા જલાસાંઇની થાય
મળેલદેહથી મુક્તિ પામવા કાજે,સાચી ભક્તિપ્રેમથી થાય
આવી આંગણે કૃપા રહે પ્રભુની,કરુણા સાગર વરસી  જાય
.               ……………………કળીયુગની માયાને છોડતા.

++++++++++++++++++++++++++++++++++++

August 29th 2013

रहेम नजर

sai
 

 

 

 

 

 

 

 

.

 

 

.                .रहेम नजर

ताः२९/८/२०१३                  प्रदीप ब्रह्मभट्ट

सांइ सांइके स्मरण मात्रसे,मिल जाता है बाबाका प्यार
रहेम नजर होनेसे जीवको,भक्तिका मील जाताहै पाथ
.                          ……………..सांइ सांइके स्मरण मात्रसे.
ॐसांइ ॐसांइ जपनेसे,शांन्तिका मील जाता हई साथ
द्वारपे आकर बाबा मीलते,घर हो जाये शेरडीका धाम
सुखशांन्ति जीवनमे आती,येही है रहेम नजरका काम
सदा प्रेमकी नजर हो जानेसे,भक्ति होजाती निश्काम
.                       ……………….सांइ सांइके स्मरण मात्रसे.
बाबा मेरे बडे है दयालु,उज्वळ जीवनमें देते है साथ
पावनकर्म होनेसे प्रदीपको,मील जाता बाबाका प्यार
आकर मेरे घरमें रहेते,लगता हमे जीवनमे सहवास
सच्चे दीलसे भक्ति करनेसे,रहेम नजर होती अपार
.                       ………………..सांइ सांइके स्मरण मात्रसे.

=================================

August 25th 2013

જીવનની જ્યોત

.                  . જીવનની જ્યોત

તાઃ૨૫/૮/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કારની કેડી સરળ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પ્રેમની પાવન જ્યોત પ્રગટે,આ જીવન ઉજ્વળ થાય
.               ………………….સંસ્કારની કેડી સરળ મળે.
નિરાધારનો  આધાર પ્રભુ છે,જે સમયે જીવને સમજાય
મળે માયાનીચાદર દેહને,પાવનકર્મ જીવથી છુટી જાય
સરળતાનો નાસાથ રહે જીવને,કે નામાનવતા મેળવાય
કર્મની સાંકળ વળગી રહેતા,જીવ અહીં તહીં ભટકી જાય
.              ……………………સંસ્કારની કેડી સરળ મળે.
અજબલીલા કરતારની જગતમાં,ના જીવનેએ સમજાય
આવીઆંગણે કૃપારહે,તોય ના કળીયુગે જીવને એ દેખાય
જ્યોત જીવનની પ્રગટેત્યારે,જ્યાં જલાસાંઇનીકૃપા થાય
ઉજ્વળતાના સોપાન ખુલે,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય
.             …………………….સંસ્કારની કેડી સરળ મળે.

===================================

 

August 19th 2013

સાચી જ્યોત

.                   .સાચી જ્યોત

તાઃ૧૯/૮/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ પ્રેમને પારખી ચાલતા,સરળ જીવન મળી જાય
મળેજીવને સાચી જ્યોત,આધી વ્યાધી દુર ભાગી જાય
.                 ………………..પરમ પ્રેમને પારખી ચાલતા.
અનેક અભિલાષાઓ અંતરમાં,આ જીવને જકડી જાય
સરળતાનો ના સાથ રહે જીવને,કે ના રસ્તો કોઇ દેખાય
પ્રેમની સાચી જ્યોત નિખાલસ,જીવન સરળ થઇ જાય
ઉજ્વળતાના વાદળવરસતા,પાવનકર્મ જીવનમાંથાય
.               ………………….પરમ પ્રેમને પારખી ચાલતા.
લાગણી જીવને સરળ લાગે,નિસ્વાર્થ ભાવે ના સમજાય
કળીયુગની કાતરથી બચવા,જીવે સમજીને ડગલુ ભરાય
મળે અચાનક જો પ્રેમ જીવને,મિથ્યા જીવન એ કરી જાય
જલાસાંઇની ભક્તિ સંગે,જીવને  સાચી જ્યોત મળી જાય
.             ……………………પરમ પ્રેમને પારખી ચાલતા.

++++++++++++++++++++++++++++++++++

August 13th 2013

ચીંધેલ આંગળી

.                . ચીંધેલ આંગળી

તાઃ૧૩/૮/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહની સાંકળ લેવા,જીવ અહીં તહીં  ભટકી જાય
માગણીનીઅનેક અપેક્ષા લઈને,અંતે મૃત્યુને પામી જાય
.                       ………………..શીતળ સ્નેહની સાંકળ લેવા.
મળેલ દેહને રાહ મળે અવનીએ,જ્યાં રાહ સીધી લેવાય
ઉજ્વળતાના વાદળ વર્ષે,ત્યાં જ  માનવતા મહેંકી જાય
ચીંધેલ આંગળી દોરે જીવને,જે કર્મના બંધનથી સમજાય
સદમાર્ગ મળીજાય જીવને,જ્યાંસાચી ભાવનાએ ચીંધાય
.                   …………………..શીતળ સ્નેહની સાંકળ લેવા.
મળે પ્રેમ પરમાત્માનો જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
માળાના મણકાને ભુલીને ભજતાં,પાવનરાહ મળી જાય
માનવીનીમાગણી પ્રભુથી,જીવને મુક્તિમાર્ગ મળી જાય
જલાસાંઇની નિર્મળભક્તિએ,જગની મોહમાયા છુટીજાય
.                      …………………શીતળ સ્નેહની સાંકળ લેવા.

++++++++++++++++++++++++++++++++++++

August 3rd 2013

ભક્તિજ્યોત

Jay Jala

 

 

 

 

 

 

 

 

 

 

 

.                .ભક્તિજ્યોત

તાઃ૩/૮/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની સાચી ભક્તિ જ્યોત,વિશ્વમાં પ્રસરી ગઈ
વિરબાઇ માતાની શ્રધ્ધાએ,જીવનમાં રાહ મળી ગઈ
.           ………………….જલારામની સાચી ભક્તિ જ્યોત.
ભુખ્યાને એ  ભોજન આપતા,ને તરસ્યાને દે એ પાણી
રામનામની ધુન પ્રેમથી કરીને,ઉજ્વળ જીંદગી માણી
મોહમાયાને દુર રાખીને જીવ્યા,માનવતાને મહેંકાવી
પત્નીનું જીવન સંસ્કારમેળવતા,પ્રભુએ ભીખમાંમાગી
.            ………………….જલારામની સાચી ભક્તિ જ્યોત.
આંગણે આવ્યા અવનીઆધારી,નાકદી સ્વપ્નામાં વિચાર્યુ
ઉજ્વળ જીવનની સફળ રાહે,બાપાએ જીવન સાર્થક માણ્યું
અવનીપરનુ આગમનઅંતે,મુક્તિમાર્ગનીરાહે આજે આવ્યુ
વિરપુર ગામનો ડંકો વાગ્યો,જેણે સ્વર્ગનુ બારણુ ખખડાવ્યુ
.            …………………જલારામની સાચી ભક્તિ જ્યોત

**************************************************

August 2nd 2013

સાંઇ સાંઇ

sai Baba

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                        . સાંઈ સાંઈ  

તાઃ૨/૮/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇના સતત સ્મરણથી,જીવને રાહ સાચી મળી જાય
પ્રેમની પાવન કેડી મળતાં,બાબાની અનંત કૃપા થઈ જાય
.                   ………………….સાંઇ સાંઇના સતત સ્મરણથી.
ભક્તિ માર્ગની સરળ કેડીએ,જીવને સુખ શાંન્તિ મળી જાય
નિર્મળતાના વાદળની હેલીએ,પાવન કર્મ જીવનમાં થાય
માનવતાની  એક જ મહેંકે,મળેલ આજન્મ સફળ થઈ જાય
મોહમાયાની કાતર છુટતા,જીવથી અનંત ભક્તિ થઇ જાય
.                   ………………….સાંઇ સાંઇના સતત સ્મરણથી.
શ્રધ્ધા ને વિશ્વાસ પકડી ચાલતા,કર્મ ધર્મ દેહથી સચવાય
સાચી ભક્તિએ સાંઇબાબા આવી,આ જીવન મહેંકાવી જાય
નાતજાતના ભેદને ભટકાવી,કલીયુગી કાતર ચાલતી જાય
સાંઇસાંઇના સ્મરણ માત્રથી,અનેક વ્યાધીઓ ભાગતી જાય
.                 ……………………સાંઇ સાંઇના સતત સ્મરણથી.

======================================

« Previous PageNext Page »