ભક્તિજ્યોત
. .ભક્તિજ્યોત
તાઃ૩/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની સાચી ભક્તિ જ્યોત,વિશ્વમાં પ્રસરી ગઈ
વિરબાઇ માતાની શ્રધ્ધાએ,જીવનમાં રાહ મળી ગઈ
. ………………….જલારામની સાચી ભક્તિ જ્યોત.
ભુખ્યાને એ ભોજન આપતા,ને તરસ્યાને દે એ પાણી
રામનામની ધુન પ્રેમથી કરીને,ઉજ્વળ જીંદગી માણી
મોહમાયાને દુર રાખીને જીવ્યા,માનવતાને મહેંકાવી
પત્નીનું જીવન સંસ્કારમેળવતા,પ્રભુએ ભીખમાંમાગી
. ………………….જલારામની સાચી ભક્તિ જ્યોત.
આંગણે આવ્યા અવનીઆધારી,નાકદી સ્વપ્નામાં વિચાર્યુ
ઉજ્વળ જીવનની સફળ રાહે,બાપાએ જીવન સાર્થક માણ્યું
અવનીપરનુ આગમનઅંતે,મુક્તિમાર્ગનીરાહે આજે આવ્યુ
વિરપુર ગામનો ડંકો વાગ્યો,જેણે સ્વર્ગનુ બારણુ ખખડાવ્યુ
. …………………જલારામની સાચી ભક્તિ જ્યોત
**************************************************