રક્ષાબંધન
હ્યુસ્ટન રક્ષાબંધન ૨૧મી ઑગસ્ટ ૨૦૦૬
(ભાઈબહેનનો અતુટપ્રેમ)
સર્જનહારની આ લીલા ના જાણી ના નિરખી જગમાં શકવાના,
ક્યાંથી ક્યાં લઈ આવ્યા કૈલાસબેનનો પ્રેમ મેળવવા હ્યુસ્ટનમાં.
…..જયજલારામ જયજલારામ.
ભાઈબહેનનો પ્રેમ અતૂટ છે જેની જગમાં ના કોઈ તુલના છે;
વરસે પ્રેમની વર્ષા અમો પર જાણે શિવબાબાની કૃપા થઈ,
બહેન અમારા હેત કરે ને અમીદ્રષ્ટિ કાયમ અમ પર રાખે છે;
ના માયા ના મોહ ના સ્વાર્થ અમોએ ક્યાંય કદી યે દીઠો,
પ્રેમ મળતો જ્યારે મળીયે હૈયેહેત અમો પર કાયમ વરસાવે છે.
….ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
હ્યુસ્ટન મને લેખે લાગ્યું જયાં મોટીબહેનનો મને પ્રેમ મળ્યો;
માતાની અમને લાગણી દેતાં ને પ્રેમ રમાને હેતકરી એ કરતાં,
હિરાબાના સંસ્કારસિંચન ને જે.ડી.પટેલનો તેમને સાથ મળ્યો;
રવિ,દીપલમાં સંસ્કાર બાના ને નિશીતકુમારને વ્હાલા કૈલાસબા;
કેવો કુદરતનો નિયમ કે જેને માનવી ના તો જગમાં કળી શકે.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
મોટીબહેનની માયા મુજને હાથ અમો પર સદા હેતથી રાખે;
આર્શિવાદ હેતથી મળતાં બાબાની અમપર કૃપારહી છે વરસી,
સ્નેહતણી સગાઈ છે બેનની ના સ્વાર્થ અમે ક્યાંય કદીયે દીઠો;
પ્રદીપ,પ્રદીપનું સ્મરણ મનમાં જ્યારે ભાઈબહેનનો દીન આવે;
રક્ષાબંધન પવિત્ર તાંતણે લાવે આનંદોલ્લાસ અમારા જીવનમાં.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
જન્મ અમારો સાર્થક કરવા જલાબાપા હ્યુસ્ટન લઈને આવ્યા;
સાત્વિક જીવન ને નિસ્વાર્થ ભાવથી રાખી અમને સુખી કર્યા,
તનમનથી હેત અમોને આપી કૈલાસબેને રાહ અમોને દીધો;
ઉપકાર અમો પર અમારાબેનનો જેણે નસીબદાર અમને કીધા,
રાખડીના આ તાંતણે સાર્થક માનવ જીવન આ જન્મે કરી રહ્યા.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
……..જય જલારામ.ઑમ શાન્તિ……..
પુજ્ય કૈલાસબેનને તાઃ૯મી ઑગસ્ટ,૨૦૦૭ ના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પરમાત્મા શીવબાબાની તથા પુજ્ય જલારામબાપાની અસીમકૃપાથી લખાયેલ આ “રક્ષાબંધન” કાવ્ય તેઓને યાદ રુપે સપ્રેમ પ્રણામ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન