September 10th 2007

માયા બદલે કાયા

                          માયા બદલે કાયા
                                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જન્મ ધર્યો આઅવનીપર,નાકપડાં નાલફરાનું કોઇભાન
સકળ જગતની માયા એવી, ના લખી ના લખાય.
                                            …….એવી કુદરત છે કહેવાય.

નાની કાયા,નાનું મન, નાના પગને  નાના હાથ
બુધ્ધિ  પરમાત્માએ  દીધી, નાના આવે  વિચાર
ના સૃષ્ટિ કુદરતની સમજાય, કેવીઅકળ લીલા છે કહેવાય.
                                               ……એવી કુદરત છે કહેવાય.
સકળ જગતનો ભાર લીધો ને, દીધો માયાનો ભંડાર
જન્મ્યો જ્યારે ત્યારથી માયા ના ઓળખી ના ઓળખાય
મનમાં કાયમ ગડભાંજ પરમાત્માના સ્વરુપની થતી જાય.
                                                ……એવી કુદરત છે કહેવાય.
કથા કુદરતની ના કહેવાય,અવનીના જીવોને નાસમજાય
લગીર માયા વળગી ગઇ તો, જન્મ જન્મ મળતો જાય
સગપણ  સંસારીને મળતું, કાયા મળતી  મોહમાયાથી.
                                               ……એવી કુદરત છે કહેવાય.
મળેલ માનવ જન્મ તમારો, ના અળગો રહી શકવાનો
કર્મતણા બંધનથી છુટવા,સાચાસંતની સેવાકરી લેવાની
મુક્તિ તણા દ્વાર ખોલીને,પરમાત્માથી જીવને જોડી લેવાનો.
                                                 ……એવી કુદરત છે કહેવાય.

#######################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment