July 2nd 2008

નજર પ્રભુની

                          નજર પ્રભુની 

તાઃ૧/૭/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક નજર જો પડે પ્રભુની, મુક્તિ જ જીવની થાય
સ્નેહ, પ્રેમની અભિલાષામાં,જન્મ સફળ થઇ જાય
                                             ………જીવ ભક્તિએ હરખાય.
કુદરતનો અણસાર મળે,ને થાય ભક્તિનો સંગાથ
પામર દેહનહીં રહે આ,ઉજ્વળ સેવાથી થઇ જાય
                                              ………જીવ ભક્તિએ હરખાય.
કામક્રોધનીલાલસા ઘટતી,ને ભાવનાવધતીજાય
મનમંદીરના બારણે આવે, પૃથ્વી તણા ભરથાર
                           .                 ………જીવ ભક્તિએ હરખાય.
લાગણી મિથ્યા લોભે મળતી,ના મળે અણસાર
જલાસાંઇની ભક્તિ નીર્મળ, જગને મળતી જાય
                                             ………જીવ ભક્તિએ હરખાય.
દેહ થકી આ જન્મ સફળ, પ્રભુ સ્મરણથી થાય
આખર માનવ દેહ જ છે,જે મુક્તિ તણું છે દ્વાર
                                          ………..જીવ ભક્તિએ હરખાય.
કર્મનો જ્યાં મર્મ સમજાયો, માનવ મુક્તિ પામે
જન્મ અજ્ન્મ થઇ જતાં,જીવ પૃથ્વીએ ના આવે
                                           ……….જીવ ભક્તિએ હરખાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++