Archive for July 11th, 2008

ભક્તિનો અણસાર

Friday, July 11th, 2008

                         ભક્તિનો અણસાર

તાઃ૧૧/૭/૨૦૦૮.. ………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કામ નામની પરવા જીવનમાં તું કદી નાકરજે,
         જગમાં  સાચી શ્રધ્ધા રાખી પ્રભુ સ્મરણમાં રહેજે

અલ્લા ઇશ્વર રામ રહીમને મનથી તું ભજી લેજે
         માનવમનની જ્યોતજીવનમાં શ્રધ્ધાથી તુ ધરજે

સાધુ સંત બની ગયા જે ભક્તિ માર્ગ તને દેશે
             સંસારમાં રહી પ્રભુ ભજીને જીવન સાર્થક કરજે

આંગણુ ઘરનું પાવન કરવા ભક્તિ કરજે રોજ
           ના વ્યાધી કે ના ઉપાધી દુર એ તુજથી રહેશે

મનમાં સ્મરણ જલાનુ ને સાંઇનું  રોજ કરજે 
          ભક્તિની એ શક્તિ અનેરી ના જગમાં કોઇ દેશે

મળશેશાંન્તિ આ જીવનમાં રાખજે સાચો ધ્યેય
            સ્મરણ પ્રભુનું સદા કરજે  ને મનમાં રાખજે ટેક

આત્માને જ્યાં ઓળખાણ થાય પ્રભુ ભક્તિથી
             જીવનસાથે જન્મસફળથઇ મુક્તિ જીવનેમળશે

###################################