November 2nd 2008

આર્શીવાદ

                  

                              આર્શીવાદ

તાઃ૧/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આર્શીવાદ મળે વડીલના, તેને ના જગે કોઇ વ્યાધી
ઉજ્વળજીવન ને પાવનકામ,જગમાં સાચુ તેનુનામ
                                        ……આર્શીવાદ દે અપરંપાર.
આવ્યા આંગણે પાવનકારી, આજે પ્રેમ ભરેલા હૈયે
અહોભાગ્ય આપણા કહેવાય,જ્યાં બ્રાહ્મણદેહ હરખાય
મનની વ્યાધી કે નારહે ઉપાધી,દુરથી જ ભાગીજાય
મક્કમ મને ભક્તિ થાય ને હૈયે સદા ઉમંગ ઉભરાય
                                        ……આર્શીવાદ દે અપરંપાર.
પ્રેમી દ્રષ્ટિ ને હૈયાના હેત, જ્યાં વડીલો મળી જાય
ના ચિંતા કે નારહે કોઇ વ્યાધી,પ્રભુ સદા સંગે દેખાય
આચરણમાં આમન્યા દેતા,મનમાં જ્યોત સદા ઉભરે
માયાના ના બંધન પણ વળગે,ના વ્યાધી અથડાય
                                     …જ્યાં મળે હૈયેથી આર્શીવાદ.
નિર્મળ હેત સદા વરસાવે એવા ઉજ્વળ વડીલનાદેહ
આવ્યા આજે આંગણે હેતે જાણે પ્રભુપિતાનો લઇનેહેત
માગુ મનથી પગે લાગતાં, મુજ પામરને કરજો સ્નેહ
રાખજો છત્ર અમારા શિરે,જેથી જીવને મળે સાચોપ્રેમ
                                      …..દેજો પ્રેમને ભક્તિના હેત.

___________________________________________________
     સંવત ૨૦૬૪ની દીવાળીના પવિત્ર દીવસે પુજ્ય શ્રી વિરાટભાઇ મહેતાના
આર્શીવાદ મળ્યા તે આનંદના પ્રસંગે આ રચના તેઓની સેવામાં યાદ રુપે અર્પણ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment