November 6th 2008

હૈયામાં આનંદ

                                       હૈયામાં આનંદ

તાઃ૬/૧૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત  આનંદ હૈયે  થાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
પવિત્રપાવન જીવન થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જગનાબંધન અળગા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સસારી જીવન સાર્થક થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
માબાપની સાચી કૃપા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મનની મુરાદ સૌ પુરી થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
આશીશ મળે ને આનંદથાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
નિરંકારી ને નિર્મળ થવાય ,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જીવને જન્મ સાર્થક દેખાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સંતાનનો  સાચો સ્નેહ  મળે, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
દેખાવની દુનીયા ડુબી જાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
કામણકાયાના મોહ છુટીજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મારુતારુ સૌ અળગુ થઇજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય

============================================

November 6th 2008

પુ.શ્રી જલાબાપાના જન્મદીને

                     

                 પુ.શ્રી જલાબાપાના જન્મદીને
                     (કારતક સુદ સાતમ)
તાઃ૫/૧૧/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જલારામ જય જલારામ, રટતા હૈયે આનંદ થાય
રામનામની જપતા માળા જીવ જગતમાં ખુબ હરખાય.

વિરપુર ગામમાં જન્મ લીધો,  ને ભક્તિથી કર્યો પોકાર
સંત સમાગમ સ્નેહ ભરીદે,ને અન્નદાનથી ઉભરાય હેત
જીવે જ્યોત જલાવી પ્રેમે, જોઇ સદા પ્રભુ પણ હરખાય
એવા જલાબાપાનો આજે, જન્મદિન જગે છે ઉજવાય.

વિરબાઇમાતાની શ્રધ્ધા મનથી,ભક્તિએ જીવ મલકાય
અન્ન તણી વહેતી ગાગરમાં,સાગર સરખો છે જ્યાં પ્રેમ
નાલાલચ ના મોહ મળે,જ્યાં થતી હૈયાથી ભક્તિ પ્રીત
એવા વિરબાઇ માતાના નાથની,જન્મ જયંતી ઉજવાય.

લાગી માયા રામનામની,ને બની જગની માયા મિથ્યા
ભક્તિ પરમાત્માની કરતા, જગજીવોને મળે સાચો પ્રેમ
કરતાં દાન અન્નતણા જ્યાં,માનવ હૈયાથી મળતો સ્નેહ
એવા વિરપુરવાસી બાપાનો, આજે જન્મદિન ઉજવાય.

માગણીમનથી કરતો પ્રદીપ,બાપા રાખજો અમોપર હેત
ભુલથાય આપના ભક્ત થકીતો,પ્રભુને વિનતીકરજો છેક
રમા,રવિને હેત દેજો ને પ્રેમ, જન્મ સફળ થાય આ એક
એવા જલાબાપાનો જગતમાં જન્મદીન આનંદે ઉજવાય,

#########જય જલારામ બાપા###############