ભક્ત કે ભગવાન
ભક્ત કે ભગવાન
તાઃ૧૧/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું ભક્ત કહુ કે ભગવાન,તેમાં ના જગમાં કોઇનું અપમાન
જગે જીવને મળશે જ્યાં લક્ષ, માનજો મળશે તમને સ્વર્ગ
……હું ભક્ત કહુ કે ભગવાન.
ભકત તણા બંધંન સ્વીકારી, વળગી રહેશો જ્યાં ભક્તિને
મનને મળશે શાંન્તિ સાચી,જે નહીં મળે મિથ્યા વ્યાધીએ
રટણ પ્રભુનું મનથી કરતાં,સાર્થક જન્મ સફળ થઇ જાય
ના વળગે માયા આજીવને, જેની જરુર નથી તારે લગાર
……હું ભક્ત કહુ કે ભગવાન.
માનવતાની મહેંક મહેંકતી,ને ઉજ્વળ તારું જીવન દેખાય
ભક્ત તણો સથવાર મળે ત્યાં,મહેંક માનવતાની મહેંકાય
મળશે મનને શાંન્તિ જાણે, લાગશે ભક્તિએ કર્યો ઉધ્ધાર
ના વળગે માયા આજીવને, જેની જરુર નથી તારે લગાર
……હું ભક્ત કહુ કે ભગવાન.
મુક્તિના દ્વારને ભક્તિથી ખોલાય,જ્યાં શ્રીજલારામ ભજાય
અંતરમાં આનંદઅનંત ઉભરાય,ને પરમાત્માનીકૃપા થાય
ભક્તિ સાગરમાં મન મલકાય, જ્યાં જગની ચિંતા જાય
ના વળગે માયા આજીવને, જેની જરુર નથી તારે લગાર
…….હું ભકત કહુ હે ભગવાન.
===============================================