March 26th 2011

જ્ઞાનની ગંગા

                             જ્ઞાનની ગંગા

તાઃ૨૯/૧/૨૦૧૧       (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતના સહવાસમાં રહેતા,જીવનઉજ્વળ માણી લીધા
અવનીપરના એક અણસારે,જગના બંધન જાણી લીધા
                    ………….કુદરતના સહવાસમાં રહેતા.
મારું તારુંની મહેંકતી માયા,ઝાઝવાના નીર બની રહી
પૉશ એક ભરતા પાણીની,નદી આખી ક્યાંય વહીગઈ
મનથી મળેલ સમજ માનવીને,જ્ઞાનની કેડી મળી રહી
સમજ સમજને પકડી ચાલતા,દેહને શાંન્તિ મળી ગઈ
                    ………….કુદરતના સહવાસમાં રહેતા.
અનુભવની એકઅટારી જોતાં,મળતી વિપદા ટળીરહી
સિધ્ધીના સોપાન મળતાંતો,ન્યાયનીઘંટી રણકી ઉઠી
ગંગાજળ દે દેહનેમુક્તિ,ને જ્ઞાનની ગંગા દે અભિયાન
ઉજ્વળજીવન સાર્થક જન્મ,મળીજાય જીવને ભગવાન
                    ………….કુદરતના સહવાસમાં રહેતા.

===================================