પરમ કૃપા
. .પરમ કૃપા
તાઃ૬/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ કૃપા પરમાત્માની,સાચી ભક્તિ એજ મળી જાય
આધી વ્યાધી ને આંબે જગે,એજ સાચી શ્રધ્ધા કહેવાય
. …………………પરમ કૃપા પરમાત્માની.
માળાના હાથમાં ફરતા મણકા,જણાય ભક્તિનો દેખાવ
ના શાંન્તિ મનનેમળે જીવનમાં,કે નારાહ કોઇ મેળવાય
માગણી પરમાત્માથી શાંન્તિની,તોય ના આફત રોકાય
મુક્તિ કેરા માર્ગને પામવા જીવને,મુંઝવણ મળતી જાય
. …………………પરમ કૃપા પરમાત્માની.
સંસારી સરગમનીકેડી મળતાં,જીવનેસરળતા મળતીજાય
કર્મબંધન સાચવી ચાલતા,જલાની પરમ કૃપા મળી જાય
મારુ તારુની લાલચ છુટતાં,સાંઇબાબાની કૃપાય મેળવાય
અંતઆવે દેહનો અવનીથી,ત્યાં જીવને મુક્તિ માર્ગ દેખાય
. ………………….પરમ કૃપા પરમાત્માની.
==============================