February 24th 2013

અંતરનો આનંદ

.                   .અંતરનો આનંદ

તાઃ૨૩/૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનનો સંગાથ મળે,ત્યાં સાચી માનવતા મહેંકાય
શાંન્તિનો સાગર ઉભરાય જીવનમા,જ્યાં ભક્તિપ્રેમથી થાય
.                     …………………ઉજ્વળ જીવનનો સંગાથ મળે.
નિર્મળતાના વાદળ ઘેરાતા,પાવનપ્રેમ જીવનમાં મળી જાય
મોહમાયાનો સંગ છુટતા,માનવજીવન પણ સરળ થઈ જાય
મળેલ પાવન કેડી ભક્તિની જીવને,મુક્તિ માર્ગે જદોરી જાય
અભિમાનની રાહ છુટતા જીવનમાં,ના આધીવ્યાધીઅથડાય
.                    ………………….ઉજ્વળ જીવનનો સંગાથ મળે.
મળેલ દેહ અવનીએ જીવને,તેના કર્મ બંધનથી જ મેળવાય
આવી અવની પર દેહ મળે,જેના નીમીત માબાપ બની જાય
સંતાન બની અવતરણ થતાં,જીવની કર્મ કેડી શરૂ થઈ જાય
કૃપાની પાવનરાહે જીવનમાં,અંતરનો આનંદ ઉભરાઇ જાય
.                   …………………..ઉજ્વળ જીવનનો સંગાથ મળે.

—————————————————————-