April 5th 2013

ઉઠી જા

.                       .ઉઠી જા

તાઃ૫/૪/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહને લેવા,ને માનવતા મેંહકાય
પાવન કર્મની કેડીને લેવા,ઉઠી જા છોડીને અંધકાર
.                ………………….ઉજ્વળ જીવનની રાહને લેવા.
મળે માનવદેહ અવનીએ,જીવ પર કૃપાપ્રભુની થાય 
સરળતાની કેડી મળી જાય,જ્યાં માનવતા સચવાય
અંતરમાંમળે આનંદની હેલી,જ્યાં જલાસાંઇને વંદાય
નિર્મળતાના વાદળ વરસતા,અંધકારથી ઉઠી જવાય
.              ……………………ઉજ્વળ જીવનની રાહને લેવા.
મારુ છે મમતાની કેડી,જે કળીયુગમાં જ ચાલતી જાય
મોહ માયાની શીતળ કેડી જોતાં,માનવી મન ભટકાય
રામનામની એક જ રાહે,જીવનો જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધાને વિશ્વાસને સમજતાં,નાકદી મોહમાયા અથડાય
.              …………………..ઉજ્વળ જીવનની રાહને લેવા.

++++++++++++++++++++++++++++++++++++++++