September 19th 2014

કાયામાયા

.                      .કાયામાયા

તાઃ૧૪/૯/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મના બંધન છે કાયાને,અને જીવના બંધન છે માયાથી
કાયામાયા એ અદભુત છે લીલા,એ આગમને  સમજાતી
.                     …………………..કર્મના બંધન છે કાયાને.
પરમાત્માની છે એકજ કેડી,સાચીભક્તિએ સમજાઇ જાય
કર્મ કરેલા જીવે અવનીએ,ત્યાં માગણી કોઇથી ના રખાય
જન્મમરણ છે  જીવનાબંધન,જલાસાંઇની કૃપાએ છુટાય
મળે મુક્તિમાર્ગ  જીવને,જ્યાંભોલેનાથની ભક્તિપ્રેમેથાય
.                  ……………………..કર્મના બંધન છે કાયાને.
કર્મ છે માયાના બંધન,જ્યાં કળીયુગના પ્રેમને ના પરખાય
વાણી વર્તન જીવને જકડે,ના એમાંથી કોઇનાથીય છટકાય
અદભુતલીલા આવિનાશીની,એ કુદરતની કૃપાએ સમજાય
માન અભિમાનને નેવે મુકતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                  ……………………..કર્મના બંધન છે કાયાને.

++++++++++++++++++++++++++++++++++++

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment