રાવણ
. .રાવણ
તાઃ૯/૯/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નમઃ શિવાયની માળા જપીને,ભોલેનાથનો પ્રેમ પામી જાય
અજબ અવતાર અવનીએ લઈને,પાવનરાહ તરછોડી જાય
. ………………….એ નામ જગતમાં રાવણ કહેવાય.
પરમાત્માની કૃપા મેળવીને,રાજારાવણ અધર્મ પકડી જાય
માનવતાની ખોટી રાહ પકડીને,જીવોને એ દુઃખ આપી જાય
માયાની સાંકળ પકડી ચાલતાં,માતાસીતાજીને પકડી જાય
લાવી લંકામાં સીતા માતાને,દુઃખના દરીયામાં એ ફેંકી જાય
. ……………………એ નામ જગતમાં રાવણ કહેવાય.
અધર્મની કેડીને તોડવા,પરમાત્મા રામ સ્વરૂપે આવી જાય
અજબરાહ જીવનમાં લેતા,યુધ્ધ કરવા લંકામાં આવી જાય
હનુમાનજીની અજબશક્તિએ,સાચીભક્તિજ્યોત મળીજાય
ગદા લઈ લંકામાં પહોંચતા,ત્યાં અંતે રાવણનું દહન થાય
. ……………………એ નામ જગતમાં રાવણ કહેવાય.
==================================