શ્રી નરેન્દ્રભાઇનો જન્મદીવસ
. .શ્રી નરેન્દ્રભાઇનો જન્મદીવસ
. ભારતના વડાપ્રધાન અને ગુજરાતનુ ગૌરવ
તાઃ૧૭/૯/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ પકડી,જ્યાં મળ્યા માતાના આશિર્વાદ
પ્રેમ ભાવના પકડી સમાજથી,જ્યાં નિખાલસ જીવન જીવાય
. ……………………ઉજ્વળ જીવનની રાહ પકડી.
માનવતાની મહેંક પ્રસરાવી,ગુજરાતના બની ગયાએ પ્રાણ
સરળ જીવનની કેડી મળી કૃપાએ,જ્યાં માતાનો પ્રેમ લેવાય
લાગણીમોહને મુકીને માળીયે,અનેક જીવોને દીધો છે સંગાથ
ગુજરાતીઓનુ એ ગૌરવ છે,જે શ્રી નરેન્દ્રભાઇ મોદી કહેવાય
. …………………….. ઉજ્વળ જીવનની રાહ પકડી.
માતા હીરાબાનો પ્રેમ લઈને,આશિર્વાદની ગંગા મેળવી જાય
જન્મદીને પગે લાગવા માતાને,ગુજરાતમાં એ આવીજ જાય
સંત જલાસાંઇની અસીમકૃપા છે,જે તેમની લાયકાતે દેખાય
જન્મ સફળ કરી જીવી રહ્યા છે,એજ નરેન્દ્રભાઇ મોદી કહેવાય
. ……………………..ઉજ્વળ જીવનની રાહ પકડી.
++++++++++++++++++++++++++++++++++++++++++
. .આજે ભારતના વડાપ્રધાન અને ગુજરાતનુ એ સન્માન એવા શ્રી નરેન્દ્રભાઇ
મોદીનો જન્મદીવસ છે તેની યાદ રૂપે હ્યુસ્ટનમાં વસતા ગુજરાતી કલમપ્રેમીઓ
અને શ્રીમતી લક્ષ્મીબા ઠક્કર તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી યાદ. ૧૭/૯/૨૦૧૪.
================================================