January 3rd 2015

દાંતની કથા

;                       .દાંતની કથા

તાઃ૧/૧/૨૦૧૫                          પ્રદીપ બહ્મભટ્ટ

ઊમર જ્યાં અડકી દાંતને,ત્યાંજ રામાયણ શરૂ થઈ ગઈ તહીં
મસ્તમઝાનું ભોજન છુટતાં,ક્યાંય જવાનુ હવે મનેગમતુ નહીં
………………….એવી આ કળીયુગી રામાયણ,દાંતથી જ પકડઇ ગઈ.
અખરોટ ખાતોને સોપારી પણ ખાતો,હવે સ્વપ્નુ બન્યુ છે ભઇ
એકએક કરતા વધારે દાંત તુટતા,ચાડુ બનાવા આવ્યો અહીં
આલાપભાઇ તો ડૉક્ટર છે,નેસંગે આંચલબેન મળી ગયાઅહીં
પકડી દાંતની સારવાર હોસ્પીટલમાં,મનને શાંન્તિ મળતી ગઈ
………………….એવી આ કળીયુગી રામાયણ,દાંતથી જ પકડઇ ગઈ.
આજકાલની સારવાર તેમની,ને સમયસર કામ કરતા અહીં
સ્વાતીબેનનો પણ સાથ તેમને,ત્યાં મુંઝવણ ઓછી થઈ ગઈ
પ્રેમની પાવન કેડી સંગે,દર્દીને સાચી સમજણ આપતા અહીં
કૃષ્ણ હોસ્પીટલની સેવાઅનેરી,દુઃખદર્દને પ્રેમે દુર કરતા અહીં
………………….એવી આ કળીયુગી રામાયણ,દાંતથી જ પકડઇ ગઈ.
પ્રદીપ આવ્યો હ્યુસ્ટનથી,દાંતની વ્યાધીને દુર કરવામાટે અહીં
અસીમકૃપા સંત જલાસાંઇની થતા,કૃષ્ણ હોસ્પીટલ મળી ગઈ
દાંતની રામાયણ તો સૌને સ્પર્શે,ઍ જ ઉંમરની સીડી છે તઈ
મળે સ્નેહાળ સાથ ડૉક્ટરનો,ત્યાંતકલીફથી મુક્તિ મળતી ભઈ
…………………એવી આ કળીયુગી રામાયણ,દાંતથી જ પકડઇ ગઈ.
++++++++++++++++++++++++++++++++++++++++

.        . ઉંમર દાંતને અડી એ જ્યારે દાંતની તકલીફ શરૂ  થઈ ત્યારે ખ્યાલ આવી ગયો.
એ કથાને પુરી કરવા હ્યુસ્ટનથી આણંદ આવતા કરમસદમાં આવેલ કૃષ્ણ હ્સ્પીટલમાં
સારવાર માટે જવાનુ થયુ.ત્યાં ડૉકટર શ્રી આલાપભાઇ પ્રજાપતિ અને તેમના સહાયક
આંચલબેન અને સ્વાતીબેનના સાથથી દાંતનુ ચાડુ બનાવી મને મુખમાં શાન્તિ આપી
તે આભાર રૂપે આ લખાણ સપ્રેમ ડૉક્ટર પ્રજાપતિ અને સહાયકને ભેંટ
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ. આણંદ.

 

January 3rd 2015

સ્નેહ જ્યોત

.                 .સ્નેહ જ્યોત

તાઃ૩/૧/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી ચાલતા પ્રેમને જીવનમાં,મળે સફળતાના સોપાન
ના માગણી કે કોઇ અપેક્ષાએ,ના આફત કદીય મેળવાય
………. એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.
આગમન જીવનુ માનવદેહથી,જ્યાં પરમાત્માની કૃપા થાય
કર્મની કેડી એ બંધન જીવના,જે સંબંધથી જીવને મળી જાય
ભક્તિ માર્ગની ઉજ્વળ કેડીએ,સાચી ભક્તિ પ્રેમથી થઈજાય
નિર્મળસ્નેહ એ કૃપા કુદરતની,જીવનીજ્યોત પ્રગટાવી જાય
………… એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.
સરળ જીવનની રાહ મળતા,મળેલ માનવ દેહ સાર્થક થાય
મળે જીવનમાં જ્યોતપ્રેમની,જલાસાંઇની ભક્તિએદોરીજાય
પ્રેમભાવના શ્રધ્ધાના સંગે,પાવન કર્મની કેડી જ આપી જાય
એજ પવિત્રભાવનાએ જીવતા,જીવનીજ્યોત સરળથઈજાય
…… એજ મહેંક માનવદેહની,જીવનમાં સ્નેહ જ્યોત પ્રગટી જાય.

########################################

January 3rd 2015

વિદાય આગમન

.                .વિદાય આગમન

તાઃ૨/૧/૨૦૧૪                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિદાય આગમન છે સમયની કેડી,નિર્મળ જીવનથી સમજાય
પામી પ્રેમ પરમાત્માનો જીવને,જન્મમરણથી એ સ્પર્શી જાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
પાવનકર્મની કેડીએજ જીવતા,મળેલ જન્મ સાર્થક થઈ જાય
મોહમાયાના સ્પર્શે જીવને,જે જીવને મુક્તિમાર્ગે જ દોરી જાય
ભગવાની નાજરૂર દેહને,કે ના કુટુંબ કે સંસારને છોડી જવાય
પરમાત્માની કૃપા પામવાને,સંસારી જલાસાંઇની ભક્તિથાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
સત્કર્મની સાંકળ છે નિરાળીજે,જીવનમાં સાચીરાહ આપીજાય
મનથી કરેલ ભક્તિ શ્રધ્ધાએ,ના આફત કળીયુગની અથડાય
મારૂ તારૂની માયા ના સ્પર્શે,કે ના આગમન અવનીએ થાય્
જીવનેવિદાય અવનીથી મળતા,વિદાય આગમનથી છટકાય
……………….એજ બંધન જીવના જગતમાં,જેને કર્મબંધન કહેવાય.
================================