વાણી વર્તન
. .વાણી વર્તન
તાઃ૨૮/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યાં આવી જીવનમાં વ્યાધી,ત્યાં વાણી બદલાઈ ગઈ
મળી લાગણીમોહની તાપણીએ,આજીંદગી ઝપટાઈ ગઈ
……..એજ છે આ કળીયુગી કાકડી,જે લાકડી બની ગઈ.
સરળ જીવનમાં પ્રેમ મળે,જ્યાં માબાપની કૃપાઓ થઈ
પામર જીવને રાહ મળે,જ્યાં નિખાલસ પ્રેમમળતો ભઈ
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં વડીલને વંદન કરતા જઈ
આશિર્વાદની એકજ પળે,પાવનજીવન મળી જતું અહીં
…….એજ સુર્યદેવની કૃપા,જે જીવને રાહ આપે છે અહીં
પરમેશ્વરની પરખ અનેક.જે જીવને શ્રધ્ધાએ સમજાય
અંતરથી કરેલ પ્રાર્થનાએ,જલાસાંઇની કૃપા મળી જાય
અવનીપર આવનજાવન,સુર્યદેવના ઉદયઅસ્તે દેખાય
કૃપા મળે સુર્યદેવની જીવને,જ્યાં પ્રભાતે અર્ચનાથાય
……એજ કૃપા અવિનાશીની,જે માનવીને સમજે સમજાય
**********************************************