August 26th 2015

લાગણીનેપ્રેમ

.               .લાગણીનેપ્રેમ

તાઃ૨૬/૮/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં માનવતા સચવાય
પ્રેમભાવના પારખી ચાલતા,લાગણીપ્રેમ મળી જાય
………..એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.
કર્મબંધનથી મળે કેડી જીવને,જે જન્મ મૃત્યુથી દેખાય
કરેલકર્મ એજ બંધન જીવના,જે અનુભવથી સમજાય
દેહ મળતા જીવને અવનીએ,યુગની કેડી સ્પર્શી જાય
સમય સમયની સમજણ પડતા,ના લાગણી ઉભરાય
………..એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.
સંતાનનું અવતરણ થતાં,માબાપનો પ્રેમ મળી જાય
ભાઇબહેનની લાગણીલેતા,જીવનેકર્મબંધન અડી જાય
અજબલીલા અવિનાશીની,જગતમાં જીવને મળી જાય
લાગણીનેપ્રેમને પારખી ચાલતા,કર્મબંધન છુટતા જાય
…………એજ રાહ જીવનની સાચી,જે પાવનકર્મે દોરી જાય.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment