December 29th 2015

રાહ

.                  .રાહ

તાઃ૨૯/૧૨/૨૦૧૫            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મમરણના બંધન જીવને,કર્મબંધનથી મળી જાય
અવનીપરના આગમને દેહને,અનેક રાહ મળી જાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
ભક્તિરાહની જ્યોતે  જીવતા,જલાસાંઇની કૃપા થાય
સંસારી જીવનપાવન કરતા,અવનીએ જીવ હરખાય
મળેલ પરમાત્માની જ્યોતે જીવતા,શાંન્તિ મળીજાય
નામાગણીમોહ સ્પર્શે જીવને,જીવનપવિત્રરાહેજીવાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.
પ્રેમની પાવન કેડી મળે,જ્યાં જીવન નિર્મળ થઈ જાય
થાય જીવ પર પ્રભુકૃપા,જ્યાં શ્રધ્ધાએ ભક્તિપુંજા થાય
મળેલ જન્મને સાર્થક કરવા,ભક્તિથી કળીયુગદુર જાય
આવી આંગણે પરમાત્મા રહે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
………..નિર્મળ જીવનની રાહે જીવતા,માનવજીવન મહેંકી જાય.

**************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment