December 29th 2015

લગની કે લાગણી

.               . લગની કે લાગણી

તાઃ૨૯/૧૨/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

લગની લાગી પ્રેમની જીવને,ત્યાં અનેક રાહને મેળવાય
સાચીરાહે લગની લાગતા,મનપર શાંન્તિવર્ષા થઈજાય
……….દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,જીવને લગની લાગી જાય
સાચો પ્રેમ નિખાલસતા આપે,જે જીવ લગનીએ દોરાય
પાવનકર્મની રાહમળે જીવનમાં,જ્યાં કૃપા પ્રભુનીથાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએ જીવને શાંન્તિથાય
………દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.
પ્રેમનો સંબધ સાચવી ચાલતા,મનથીજ લાગણી થાય
ઉજ્વળતાની રાહ દેવા દેહના,સંબંધ સાચવીને જીવાય
અંતરથી આપેલપ્રેમ જીવનમાં,સાચી લાગણી કહેવાય
દેહમુકતા અવનીથી જીવને,લાગણી સાચીરાહ દઈજાય
………દેહ મળતા જીવને અવનીએ,લગની કે લાગણી મળી જાય.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment