નિર્મળકેડી
. . નિર્મળકેડી
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જીવન રાખીને જીવતા,જગે માનવતા મહેંકી જાય
અભિમાનની ના ચાદર અડે,કે ના અપમાનપણ મળી જાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
પળેપળ એ સમયની કેડી,જગતમાં ના કોઇ જીવથી છટકાય
દેહ મળતા જીવને અવનીએ,કર્મનાબંધન દેહથી જકડીજાય
માનઅપમાનને નેવે મુકતા,જીવને નિર્મળ જીવન મળીજાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે સમયથી સમજાઈજાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
દેહ મળે જીવને અવનીએ,જે સમયની સાથે જ એ ચાલી જાય
બાળપણના સમયને છોડતા,દેહને ઉંમરે જુવાની મળી જાય
અસીમ કૃપા મળે જીવને,જ્યાં સાચી ભક્તિ નિર્મળતા એ થાય
અનંત આનંદની ગંગા વહેતા,જીવ પાવનરાહને મેળવી જાય
…………આજ જીવની રાહ છે સાચી,જ્યાં કળીયુગ પણ ભાગી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%