July 28th 2017

અદભુત છે લીલા

.           .અદભુત છે લીલા
તાઃ૨૮/૭/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ પરમાત્માની અજબશક્તિ,જીવને નિર્મળ ભક્તિએ મળી જાય
મળેલ દેહને સ્પર્શે એકૃપા જીવનમાં,જે પાવન પવિત્ર જીવન આપી જાય
......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય.
નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા જીવનમાં,સુખશાંંતિનો સંબંધ થઈ જાય
ના કોઇ યુગની અસર અડે જીવને,કે નાજીવનમાં કોઇ માગણી રખાય
પ્રેમની ગંગાવહે જીવનમાં,જે નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિથી મેળવાય
ભક્તિની એ અજબ શક્તિ છે જગતમાં,જે નિખાલસ જીવનથી દેખાય
......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જે મળેલ દેહની ભક્તિએ મળી જાય
પરમાત્માની કૃપા એ પવિત્ર શ્રધ્ધાએ,કરેલ ભક્તિની જ્યોત પ્રગટાઇ જાય
સંત જલાસાંઇની ચીંધેલ આંગળી,જીવોને ભોજનસંગે માનવતા આપીજાય
કુદરતની આ અજબલીલા છે અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય.
==========================================================