અદભુત છે લીલા
. .અદભુત છે લીલા
તાઃ૨૮/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમકૃપાળુ પરમાત્માની અજબશક્તિ,જીવને નિર્મળ ભક્તિએ મળી જાય મળેલ દેહને સ્પર્શે એકૃપા જીવનમાં,જે પાવન પવિત્ર જીવન આપી જાય ......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય. નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા જીવનમાં,સુખશાંંતિનો સંબંધ થઈ જાય ના કોઇ યુગની અસર અડે જીવને,કે નાજીવનમાં કોઇ માગણી રખાય પ્રેમની ગંગાવહે જીવનમાં,જે નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિથી મેળવાય ભક્તિની એ અજબ શક્તિ છે જગતમાં,જે નિખાલસ જીવનથી દેખાય ......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય. માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જે મળેલ દેહની ભક્તિએ મળી જાય પરમાત્માની કૃપા એ પવિત્ર શ્રધ્ધાએ,કરેલ ભક્તિની જ્યોત પ્રગટાઇ જાય સંત જલાસાંઇની ચીંધેલ આંગળી,જીવોને ભોજનસંગે માનવતા આપીજાય કુદરતની આ અજબલીલા છે અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય ......એજ અજબશક્તિ છે ભક્તિની,જે પરમાત્માની અદભુતલીલા જ કહેવાય. ==========================================================