July 16th 2017

આવી શાંંન્તિ

.           .આવી શાંન્તિ 
તાઃ૧૬/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરના મળેલ દેહને જીવનમાં,અનેક માર્ગનો સંગાથ મળી જાય
કુદરતની અજબ લીલા અવનીએ,મળેલ સંગાથ સુખદુઃખથી સમજાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
પરમાત્માની કૃપા મળે જીવને,જે મળેલ દેહને અનુભવથી સ્પર્શી જાય
શ્રધ્ધા ભક્તિ કરતા જીવનમાં,મળેલ આગમનને વિદાયએ આપી જાય
દેહના બંધન એ જકડે જીવને,જે જન્મ મરણના બંધનથી જ સમજાય
પાવનરાહે જીવન જીવતા ધરતી પર,અનેક સંબંધથી જીવને દુર રખાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
મળેલદેહની જ્યોતપ્રગટે અવનીપર,જે અનેકજીવોને પ્રેરણા આપી જાય
સત્કર્મનોસંગાથ રહેતા જીવનમાં,નાઆફત કે તકલીફ આવી મળી જાય
સફળ જીવનની રાહ મળે દેહને,જ્યાં સંત જલાસાંઇની કૃપા થઈ જાય
આંગણે આવીને શાંંતિ મળે જીવનમાં,અનંત શાંંન્તિની વર્ષા થતી જાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
========================================================