November 13th 2017

પકડ એજ જકડ

.           .પકડ એજ જકડ

તાઃ૧૩/૧૧/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન એ દેહનોસંબંધ અવનીએ,જીવને જન્મ મળતા અનુભવ થાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવ પર,જે આગમન થતા સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
મળેલ દેહ એજ સંબંધ છે જીવનો,જે અવની પર દેહ આપી જાય
પકડેલ રાહ દેહની જગતપર,જન્મ મરણથી જીવને એ સ્પર્શી જાય
અપેક્ષાના વાદળ વર્ષે દેહપર,એ કર્મનીપકડ જે જીવને જકડી જાય
મળેલ દેહને પકડે છે વર્તન,જે જીવનમાં અનેક તકલીફોથી સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
થાય કૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ પુંજન થાય
જીવનો સંબંધ એજ છે કર્મના બંધન,ધરતી પરના આગમનથી દેખાય
દેહને જકડે માયા અને મોહ અવની પર,નાકોઇ માનવદેહથી છટકાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,દેહને પાવન કર્મ પરમાત્મા આપી જાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
=====================================================