February 10th 2018

માનવ જીવન

.           .માનવ જીવન  

તાઃ૧૦/૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનનો સંબંધ છે જીવનો,દેહ મળતા અનુભવ થાય 
પરમાત્માની આ અજબલીલા છે જગતપર,જે કર્મના બંધનેજ મેળવાય
.......પવિત્ર કર્મની કેડી મળે માનવજીવનમાં,સાચી શ્રધ્ધાભક્તિએ મળી જાય.
કુદરતની આ અજબલીલા અવનીપર,જીવને મળેલ દેહને સમજાઈ જાય
આગમન વિદાયનો સંબંધ છે જીવનો,કરેલ કર્મથી જ જન્મ આપી જાય
પાવનરાહ એ પવિત્રકેડી છે દેહની,જીવને સરળતાનો સંગાથ મળી જાય
ના અપેક્ષા અંતરમાં રહે જીવનમાં,કે ના કોઈ મોહનો સંબંધ પણ થાય
.......પવિત્ર કર્મની કેડી મળે માનવજીવનમાં,સાચી શ્રધ્ધાભક્તિએ મળી જાય.
અનેકદેહ અવનીપર છે જીવના,જે પશુપક્ષીપ્રાણી કે માનવથી જ દેખાય
મળેલ માનવદેહ એજ સમજણની કેડી,જે જીવનમાં થતા કર્મથી સમજાય
પવિત્રરાહનો સંબંધ મળે જીવને,જે દેહથી થતી નિર્મળ ભક્તિએ મેળવાય
આવનજાવનએ થયેલ કર્મનોસંબંધ,કરેલ સત્કર્મ જીવને મુક્તિમાર્ગે લઈજાય
.......પવિત્ર કર્મની કેડી મળે માનવજીવનમાં,સાચી શ્રધ્ધાભક્તિએ મળી જાય.
===========================================================
 
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment