February 11th 2018
. .મળે સહવાસ
તાઃ૧૧/૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ,જે સરળ જીવનમાં મળતો જાય
પરમ પાવનરાહ મળે દેહને અવનીપર,નિર્મળ સહવાસે મળી જાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
દરેક જીવને કરેલ કર્મનો સંબંધ અવનીએ,જે દેહ મળતા સમજાય
અનેકદેહો મળે જીવોને જે બંધન આપી જાય,ના કોઇથી છટકાય
કુદરત કેરી રાહને સમજવા જીવનમાં,નિર્મળરાહે જ જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુભક્તિ કરાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
મનથી કરેલ જપન પરમાત્માનુ પ્રભાતે,સુર્યદેવની અજબકૃપા મેળવાય
ના કોઇ અપેક્ષા અડે જીવનમાં જીવને,કે ના મોહનો સ્પર્શ પણ થાય
પરમ નિખાલસ પ્રેમનો મળે સહવાસ,જે સંબંધીઓને ઓળખાવી જાય
પવિત્ર કર્મની રાહે જીવન જીવતા,મળેલ દેહને પરમાત્માના દર્શન થાય
.....ત્યાંજ ઉજવળ જીવનની રાહ મળે દેહને,જે માનવતા મહેંકાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.