સંકેતનો સાથ
. .સંકેતનો સાથ
તાઃ૨૦/૪/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળતાનો સંગાથ મળે જીવનમાં,ત્યાં મળેલ જીવન સાર્થક થાય પવિત્ર પાવનરાહ મળે શ્રધ્ધાએ,જ્યાં સત્કર્મનો સંકેત મળી જાય ……....એ માનવદેહની માનવતા કહેવાય,જીવને પાવનરાહ આપી જાય. જીવને મળેલ દેહ અવનીપર,જે કર્મના બંધનથી જ જન્મ મેળવાય પરમકૃપાળુ છે પરમાત્મા જગત પર,જે પ્રત્યક્ષ દર્શનથી અનુભવાય સુર્યદેવના પ્રત્યક્ષદર્શન થાય અવનીપર,સવાર અને સાંજ આપીજાય નિર્મળશ્રધ્ધાએ પુંજન કરતા જીવનમાં,પવિત્રરાહનો સંકેત મળી જાય ......એ માનવદેહની માનવતા કહેવાય,જીવને પાવનરાહ આપી જાય. કુદરતની કૃપાએ જીવને પાવનરાહ મળે,જે પવિત્રજીવન આપી જાય ના માગણી ના મોહનો કોઇ સ્પર્શ થાય,જયાં સુર્યદેવની કૃપા થાય જીવથી થયેલ સત્કર્મથી દેહને,નાકોઇ આફત કે તકલીફ અડી જાય સરળ જીવનનીરાહે જીવતા જીવને,અંતે પરમાત્માની કૃપા પ્રેરી જાય ......એ માનવદેહની માનવતા કહેવાય,જીવને પાવનરાહ આપી જાય. =======================================================