May 22nd 2018

જ્યોતી પ્રગટે

.            .જ્યોતી પ્રગટે   

તાઃ૨૨/૫/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની રાહ પકડી ચાલતા,પાવનકર્મની કેડીએ જીવાય
અનંતપ્રેમની વર્ષા થતા જીવનમાં,પવિત્રભક્તિ જ્યોત મળી જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
જીવને સંબંધ છે કર્મનો જગત પર,જે દેહ મળતા જ અનુભવ થાય
પાવનકર્મ એજ પરમાત્માની કૃપા,ના જગતમાં કોઇ જીવથી છટકાય
પ્રેમની જ્યોત જીવનમાં પ્રગટે,જે સંબંધીઓના  સહવાસથી સમજાય
શ્રધ્ધા અને ભાવનાથી પુંજન અર્ચન કરતા,સુર્યદેવની કૃપા થઈ જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
મળેલદેહની એકેડી જગતપર,જે અનેકરીતે જીવને અનુભવ આપી જાય
અનેક જીવોનો સંબંધ અવનીપર લેવાય,જે પશુપક્ષી માનવીથી દેખાય
કરેલપવિત્રકર્મ એમળેલદેહની,જગતપર પાવનરાહનીજ્યોત પ્રગટાવી જાય
માનવદેહને સત્કર્મનો સંગાથ સ્પર્શે,જન્મમરણના બંધનથી દુર લઈ જાય
......એ કૃપા પરમાત્મા સુર્યદેવની,જે સવારસાંજ દઈ અવનીએ પ્રગટી જાય.
===========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment