July 6th 2018

માનવતાનો સહવાસ

.          માનવતાનો સહવાસ         

તાઃ૬/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા પરમાત્માની અવનીપર,મળેલદેહથી એ અનુભવાય
પાવનરાહને પકડીચાલતા જીવનમાં,માનવતાની મહેંકપ્રસરી જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
નિર્મળ ભાવથી જીવન જીવતા,મળેલદેહને કર્મનાબંધન અનુભવાય
કળીયુગ સતયુગનો સ્પર્શ નારહે જીવને,જે શ્રધ્ધાભક્તિએ સમજાય
પવિત્રકર્મ એ નિખાલસ સેવા આપી જાય,જે સત્કર્મને સ્પર્શી જાય
કુદરતની અનેક કૃપા થાય જીવોપર,જે નિર્મળભક્તિમાર્ગ દઈ જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
અનેક સ્વરૂપ લઈ આવ્યા પરમાત્મા,જે ભારતદેશમાં દેહથી દેખાય
મળેલ દેહને સદમાર્ગ આપી જીવનમાં,પવિત્ર કર્મનો સંગ મળી જાય
ઉજવળતાની કેડીના સંગે રહી જીવતા,પ્રભુકૃપાની વર્ષાપણ થઈ જાય
નિર્મળજીવન સંગે નિર્મળરાહ પકડતા,મળેલદેહની માનવતામહેંકી જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
=====================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment