July 9th 2018

કાયાને અડી

.           કાયાને અડી      

તાઃ૯/૭/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ દેહને સંબંધ છે કર્મનો,જે અવનીપરના આગમને દેખાય
સરળજીવનની રાહને પકડી ચાલતા,કાયાને નામાયા અડી જાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
સમયનો સ્પર્શ થાય છે દેહને,જે મળતી ઉંમરનો સંગ આપી જાય
આજને પારખી ચાલતા ગઈ કાલને ભુલાય,જે શાંન્તિ આપી જાય
આવતી કાલને ઉજવળ કરવા,દેહને આજના વર્તનથી અનુભવાય
એવી લીલા પરમાત્માની જીવપર,જે સમય સંગે કાયાને અડી જાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
લાગણી કે મોહ એઅવનીના બંધન,ના કોઇથી અવનીપર છટકાય
દેહના બંધન એ કર્મને લાવે,જે દેહના વર્તનથી સૌને સમજાઈ જાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જે કુટુંબને પવિત્રકર્મકેડી આપી જાય
મળેલ દેહની પરખ સચવાઇ જાય,જ્યાં નિર્મળ રાહે જીવન જીવાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
=======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment