August 23rd 2018

જીવનની સાંકળ

.           જીવનની સાંકળ   

તાઃ૨૩/૮/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સરળ જીવનની સાંકળ પકડાઈ,જ્યાં પરમાત્માની કૃપા થઈ જાય
પાવનરાહને પકડી ચાલતા, મળેલ જન્મની માનવતા મહેંકી જાય
....એજ શ્રાવણ માસની પવિત્ર રાહ જગતપર,જીવને સુખશાંન્તિ આપી જાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં પવિત્રધર્મ પકડીને જીવાય
મળેલદેહનો સંબંધ છે અનેક ધર્મમાં,પુંજન અર્ચનથી સમજાઈ જાય
હિંંદુ ધર્મમાં પરમાત્માએ અનેકદેહ લઈ,જીવને પાવનરાહ દઈ જાય
પવિત્રભુમી એભારત છે જગતમાં,જ્યાં પરમકૃપા જીવોને મળી જાય
....એજ શ્રાવણ માસની પવિત્ર રાહ જગતપર,જીવને સુખશાંન્તિ આપી જાય.
દેહને સંબંધ છે થયેલ કર્મનો અવનીએ,જે મળેલ દેહથી અનુભવાય
અવનીપરનુ આગમન એ લીલા પ્રભુની,નાકોઇ જીવથી કદી છટકાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળભાવે ભક્તિ કરાય
અનેકદેહ લઈ આવ્યા અવનીપર પરમાત્મા,જે અનેક મંદીરથી દેખાય
....એજ શ્રાવણ માસની પવિત્ર રાહ જગતપર,જીવને સુખશાંન્તિ આપી જાય.
==========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment