November 2nd 2018

સુર્યદેવ કૃપા

.              .સુર્યદેવ કૃપા

તાઃ૨/૧૧/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રી સુર્યદેવ પ્રત્યક્ષદેવ છે અવનીપર,જે લાખો વર્ષોથી દર્શન આપી જાય
જીવને મળેલદેહનો સંબંધછે સમયનો,એ સવારસાંજથી ચાલતો થઈ જાય
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
સવાર એ પ્રત્યક્ષ ઉદય છે સુર્યદેવનો,જગતપરના દેહોને કર્મ આપી જાય
ઉજવળરાહની ચીંધે આંગળી દેહને,જે દેહને પવિત્રકર્મથીજ સમજાઈ જાય
અનેકદેહ લીધા છે પરમાત્માએ,જે સમયની સાથે આવનજાવન લઈ જાય
પવિત્રભુમી ભારતછે અવનીપર,જ્યાં દેહલઈ જીવોને ભક્તિરાહઆપી જાય
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
સત્કર્મની રાહમળે મળેલ દેહને,જ્યાં પ્રભાતે સુર્યદેવને શ્રધ્ધાએ અર્ચના થાય
ૐ હ્રીંમ સુર્યાય નમઃના સ્મરણથીજ,પરમ કૃપાળુ સુર્યદેવની કૃપા થઈ થાય
સંધ્યાકાળના સમયે દર્શન કરી વંદન કરતા,મળેલ માનવજીવન મહેંકી જાય
સરળતાનો સંગાથ મળે જીવને,જે દેહ મુકતા જીવને મુક્તિમાર્ગ મળી જાય 
......પરમકૃપાળુ સુર્યદેવ છે જગતપર,જે મળેલદેહને પ્રત્યક્ષ દર્શન આપી જાય.
============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment