November 14th 2018

કૃપાળુ જલારામ

.             .કૃપાળુ જલારામ 
તાઃ૧૪/૧૧/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આધી વ્યાધીને આંબી નાખે જીવનમાં,જ્યાં સંત જલારામની કૃપા થાય
પાવનરાહને પકડીને જયાં જીવન જીવ્યા,એ પવિત્રગામ વિરપુર કહેવાય
......માતા રાજબાઈના અને પિતા પ્રધાનના,એ વ્હાલા સંતાનથીય ઓળખાય.
અવનીપરના આગમનને દેહના છેસંબંધ,જે અનેક સ્વરૂપે જીવથી મેળવાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,નિખાલસતાને સરળતા આપી જાય
પવિત્રરાહે જીવન જીવતા જલારામને,શ્રધ્ધા વિશ્વાસથી પ્રભુ કૃપા મળી જાય
ના મોહ કે નાકોઇ અપેક્ષા કદી રાખી જીવનમાં,જે તેમના વર્તનથીજ દેખાય
......કુદરતની કૃપાનો સંગ જીવનમાં મળતા,દેહના વર્તનથી પાવનરાહ મેળવાય.
પરમાત્માની કૃપા મળી પત્ની વિરબાઇને,જે ડંડો ઝોળી આપીને ભાગી જાય
મળેલદેહની માનવતા પ્રસરી અવનીપર,જે પત્ની વિરબાઈના વર્તનથી દેખાય
સંસ્કારને સાચવીને જીવન એ જીવતા,નાકદી ક્યારે એ પતિથી પણ દુર જાય
લીધેલદેહની પરિક્ષા પ્રભુએ કરી,જે તેમના વર્તનથી આગમનને પાવનકરી જાય
......એજ પવિત્ર વર્તન એ કુટુંબનુ જગતપર,જે વિરપુરને પાવનગામ કરી જાય.
=============================================================


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment