January 12th 2019

શ્રી બજરંગબલી

.             .શ્રી બજરંગબલી
તાઃ૧૨/૧/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બજરંગબલી હનુમાન જગતપર,અજબ શક્તિશાળી રામભક્તથી ઓળખાય
પવનપુત્ર થઈ અવનીપર આવ્યા,માતા અંજનીના એવ્હાલા સંતાન કહેવાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
મળેલ દેહને શક્તિ મળી પરમાત્માની કૃપાએ,જે હાથમાં ગદાને પકડી જાય
પકડેલ ગદાએજ તાકાત લઈ મદદ કરી,જે પવિત્રદેહ શ્રી રામથી ઓળખાય
અજબ શક્તિશાળી લંકાના રાજા રાવણ,જીવનમાં મોહમાયાને પકડતા જાય
સમયઆવતા જીવનમાં સીતાજીનુહરણ કરતા,બજરંગબલીની ગદા વાગી જાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
અવનીપર નાસમય કોઇથી પકડાય,કે ના કોઇજ દેહથી કદી સમયથી છટકાય
પ્રેમનીદ્ર્ષ્ટિ પડે દેહપર જે અપેક્ષા આપે,એ જીવને પકડીને ગેરમાર્ગે લઈ જાય
પરમાત્માની પરમકૃપા હતી ભક્તશ્રી હનુમાનજી પર,જે દેહને સત્માર્ગે દોરીજાય
સદમાર્ગને છોડીને ચાલતા રાજા રાવણનુ,શ્રી હનુમાનજી લંકામાં મૃત્યુ કરી જાય
.....એવા વ્હાલા ગદાધારી ભક્ત,શ્રી રામના પત્ની સીતાજીને લંકાથી લાવી જાય.
==============================================================
January 12th 2019

માનવદેહને મળે

.            .માનવદેહને મળે  

તાઃ૧૨/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સંબંધ મળે જગતપર માનવદેહને,જે થયેલ જીવના કર્મના બંધન કહેવાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે કરેલ સત્કર્મ જીવને સ્પર્શી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
સત્કર્મની રાહ મળે મળેલ દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
ઉંમરને નાકોઇ રોકી શકે અવનીપર,એજીવને વર્તનકર્મની કેડી આપી જાય 
મળેલ માનવદેહ એકૃપા પ્રભુની,જે દેહને સદમાર્ગેલઈ પાવનકર્મ કરાઇ જાય
પાવનરાહને પકડતા જીવનમાં,ના અપેક્ષા કે ના માયામોહ કદી અડી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતાં જીવનમાં,પાવનકર્મની રાહ દેહને મળી જાય
મળેલ માનવદેહને શાંંન્તિમળે,જ્યાં સંતજલાસાંઇની ચીંધેલ આંગળીએ ચલાય
માનવદેહને ભોજન આપતા કૃપા મળે પ્રભુની,એજ જલારામથી પ્રેરણા થઈ
મળેલ માનવદેહએ પરમાત્માની છે કૃપા,જે સાંઇબાબા દેહને મહેંકાવી જાય
....એ અદભુતલીલા જીવો પર થાય,જે અનેકદેહ થકી આગમન વિદાય આપી જાય.
===============================================================