January 26th 2019

સન્માન મળે

.             .સન્માન મળે    

તાઃ૨૬/૧/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહથીજ જગતમાં ઓળખાઈ જાય
પાવનકર્મની રાહે જીવન જીવતા,અવનીપરના આગમનનો સંબંધ થાય
....મળેલ માનવદેહ એજ પરમાત્માની કૃપા જીવ પર,જે કર્મની કેડી આપી જાય.
સમયનો સંબંધ મળેલ દેહને અવનીપર,જે અનેક અનુભવ આપી જાય
જન્મ મળતા દેહને ઉંમરનો સાથ મળી જાય,જે સમયના સંગે સચવાય
કુદરતની કૃપા થાય જીવ પર,જે મળેલ દેહને નિર્મળભક્તિએ પ્રેરી જાય
મળેલદેહને માનવતા મળતા,સત્કર્મનો સંગાથમળે જે સન્માન આપીજાય
....મળેલ માનવદેહ એજ પરમાત્માની કૃપા જીવ પર,જે કર્મની કેડી આપી જાય.
માનવદેહને માગણીમળે જીવનમાં,જે કદીક અપેક્ષાનાવાદળ વર્ષાવી જાય
આજકાલને સમજીને જીવતા મળેલદેહને,સમયની સમજણપણ મળી જાય
કર્મ એ વર્તન છે મળેલ દેહનુ અવનીપર,જે વાણીવર્તનથીજ દેખાઈ જાય
એજ રાહછે દેહની અવનીપર,જે જીવને વાણીવર્તન અને કર્મ આપી જાય
....મળેલ માનવદેહ એજ પરમાત્માની કૃપા જીવ પર,જે કર્મની કેડી આપી જાય.
==============================================================