February 22nd 2019

જીવનો સંબંધ

.           .જીવનો સંબંધ
તાઃ૨૨/૨/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની એ આધાર છે જીવનો,અનેકદેહ મળતા સૌને અનુભવ થાય
પાવનરાહની કેડી મળે અવનીપર,જે જીવને જન્મ મળતા જ દેખાય
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
સુખ દુઃખની કેડીનો સંબંધ છે દેહને,જે મળેલ દેહને કર્મથી સમજાય
થઈ રહેલ કર્મ માનવદેહના જીવનમાં,જે કુદરતની પ્રેરણાએ મેળવાય
સત્કર્મનો સંગાથ મળતા જીવનમાં,પાવનકર્મની રાહ પ્રભુકૃપાએ થાય
નામાયા નામોહ ના અપેક્ષા અડે દેહને,જ્યાં નિર્મળભક્તિ પ્રેમે થાય
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
જન્મમરણનો સંબંધ છેદેહને અવનીપર,એ દેહથી થયેલકર્મ પ્રેરી જાય
અનેકદેહનો સંબંધ છે જીવને,માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,અનેક પવિત્રરાહ આપી જાય
મળેલ માનવદેહ એ જીવનેસંબંધ આપે અવનીનો,જે કર્મથી મેળવાય 
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
==========================================================