February 5th 2019

ના સમજાય

.            .ના સમજાય   

તાઃ૫/૨/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં સમય સમજીને જીવાય
અગણિત કર્મનો સંબંધ છે દેહને,પાવનરાહ મળતા જીવનમાં સમજાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય.
અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે જન્મ મરણનો સંબંધ દઈ જાય
સમય સંગે ચાલતા મળેલદેહના જીવને,વાણીવર્તનથી પ્રેરણા આપીજાય
આગમન એ થયેલ કર્મનો સંબંધ છે,જે પાવનપ્રેમ પણ પ્રગટાવી જાય 
સરળજીવનમાં દેહપર પ્રેમની જ્યોત પ્રગટે,જે નિખાલસતા આપી જાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય
સત્કર્મનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનથીજ સમજાય
સરળ જીવનનીરાહ પકડી ચાલવા,વડીલના અંતરથી આશીર્વાદ લેવાય
પરમાત્માની પાવન કૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરાય
જે માનવ દેહને સદમાર્ગે દોરી જાય,એ સમયની સમજણે જ મેળવાય 
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય. 
=============================================================
February 5th 2019

સંબંધનો સ્પર્શ

.             .સંબંધનો સ્પર્શ    

 તાઃ૫/૨/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ દેહને અનેક અદભુત સંબંધ મળે,જે માનવદેહ મળતા જીવને સમજાય
કુદરતની આ નિર્મળકેડી અવનીપર,જ્યાં માનવતાને સમજીને સત્કર્મોને કરાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર છે,જે ગત જન્મના દેહનાકર્મે મેળવાય
સરળ જીવનની રાહ પકડી ચાલવા,પાવન ભક્તિ રાહે પરમાત્માની પુંજા થાય
મળે પાવનપ્રેમ પરમાત્માનો જીવનમાં,જે નિખાલસ સંબંધનો સ્પર્શ આપીજાય 
અપેક્ષા નારાખી કદી મળેલ દેહથી,એજ સંત જલાસાંઇની કૃપા અપાવી જાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
પાવનરાહ પકડી ચાલતા જીવનમાં,મળેલ દેહને સુખશાંંતિનો સંગાથ થઈ જાય
લાગણી મોહને દુર રાખી નિર્મળરાહે જીવન જીવતા,પવિત્ર કર્મ જીવનમાં થાય
અજબ શક્તિ શાળી પરમાત્માનો પ્રેમ મળે,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળ સંબંધનો સ્પર્શ થતા દેહને,જીવનમાં પ્રભુની પાવનકૃપા પણ મળી જાય 
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
===============================================================