February 5th 2019

ના સમજાય

.            .ના સમજાય   

તાઃ૫/૨/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં સમય સમજીને જીવાય
અગણિત કર્મનો સંબંધ છે દેહને,પાવનરાહ મળતા જીવનમાં સમજાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય.
અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે જન્મ મરણનો સંબંધ દઈ જાય
સમય સંગે ચાલતા મળેલદેહના જીવને,વાણીવર્તનથી પ્રેરણા આપીજાય
આગમન એ થયેલ કર્મનો સંબંધ છે,જે પાવનપ્રેમ પણ પ્રગટાવી જાય 
સરળજીવનમાં દેહપર પ્રેમની જ્યોત પ્રગટે,જે નિખાલસતા આપી જાય
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય
સત્કર્મનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનથીજ સમજાય
સરળ જીવનનીરાહ પકડી ચાલવા,વડીલના અંતરથી આશીર્વાદ લેવાય
પરમાત્માની પાવન કૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજન કરાય
જે માનવ દેહને સદમાર્ગે દોરી જાય,એ સમયની સમજણે જ મેળવાય 
......કુદરતની આ અજબલીલા અવનીપર,જે જીવને દેહ મળતા અનુભવ થાય. 
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment