February 5th 2019

સંબંધનો સ્પર્શ

.             .સંબંધનો સ્પર્શ    

 તાઃ૫/૨/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ દેહને અનેક અદભુત સંબંધ મળે,જે માનવદેહ મળતા જીવને સમજાય
કુદરતની આ નિર્મળકેડી અવનીપર,જ્યાં માનવતાને સમજીને સત્કર્મોને કરાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર છે,જે ગત જન્મના દેહનાકર્મે મેળવાય
સરળ જીવનની રાહ પકડી ચાલવા,પાવન ભક્તિ રાહે પરમાત્માની પુંજા થાય
મળે પાવનપ્રેમ પરમાત્માનો જીવનમાં,જે નિખાલસ સંબંધનો સ્પર્શ આપીજાય 
અપેક્ષા નારાખી કદી મળેલ દેહથી,એજ સંત જલાસાંઇની કૃપા અપાવી જાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
પાવનરાહ પકડી ચાલતા જીવનમાં,મળેલ દેહને સુખશાંંતિનો સંગાથ થઈ જાય
લાગણી મોહને દુર રાખી નિર્મળરાહે જીવન જીવતા,પવિત્ર કર્મ જીવનમાં થાય
અજબ શક્તિ શાળી પરમાત્માનો પ્રેમ મળે,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળ સંબંધનો સ્પર્શ થતા દેહને,જીવનમાં પ્રભુની પાવનકૃપા પણ મળી જાય 
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
===============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment